મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત


SHARE







મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત

મોરબી તાલુકામાં મામલતદાર કચેરીમાંથી ૭/૧૨ ના દાખલા નીકળેલ હોય તો જ બેંકો કે અન્ય વહીવટી કામમાં તેને માન્ય રાખવામા આવે છે જેથી કરીને ખેડૂતોને હેરાન થવું પડે છે ત્યારે મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષ મંડળના પ્રમુખ દ્વારા ગ્રામ પંચાયતમાંથી તલાટી મંત્રી ૭/૧૨ ના દાખલા કાઢી આપે તેને માન્ય રાખવા માટે જરૂરી આદેશ કરવા કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત કરવામાં આવેલ છે.

મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષ મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ હાલમાં કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી તાલુકા મામલતદાર કચેરી ખાતેથી ખેડૂતોને ૭/૧૨ ના દાખલા કાઢી આપવામાં આવે છે. જે દાખલાની બેંકમાં ધીરાણ કે અન્ય વહીવટી કામગીરીમાં કાયમી માટે જરૂરત રહે છે. મોરબી મામલતદાર કચેરીમાં એક જ કોમ્પ્યુટર છે અને બી.એસ.એન.એલ.ના ટાવરના કારણે સર્વર કાયમી ધીમુ ચાલે છે અને ક્યારેક ઠપ્પ થઈ જાય છે જેથી કરીને ખેડૂતોને હેરાન થવુ પડે છે આટલુ જ નહીં ખેડૂતોને ધીરાણ કે બેંકમાંથી લોન લેવા માટે  મામલતદાર કચેરીમાંથી ૭/૧૨ ના દાખલા આપવામાં આવે તેને જ માન્ય રાખવામા આવે છે તેના બદલે ગ્રામ પંચાયત કે અન્ય સરકારી ઓનલાઈન એપ્લીકેશનમાંથી દાખલા કઢાવેલ હોય તો તેને માન્ય રાખવામા આવતા નથી જેથી ગ્રામ પંચાયતના તલાટી મંત્રી સરકારી અધિકારી છે અને તેની સહી સાથે ૭/૧૨ ના દાખલા નીકળે તો તેને માન્ય રાખવામા વાંધો શું છે તેવો સવાલ ઉઠી રહ્યો છે ત્યારે ખેડૂતોને હેરાન થવું ન પડે તે માટે ગ્રામ પંચાયતમાં તલાટી મંત્રી દ્વારા ૭/૧૨ ના દાખલા કાઢી આપેલા હોય તેને માન્ય રાખવામાં આવે તેના માટે જરૂરી આદેશ કરવામાં આવે તો ખેડતોને મુશ્કેલીમાંથી રાહત મળશે તેની સાથો સાથ મામલતદાર કચેરીમાં કામનું ભારણ પણ ઘટશે. જેથી ખેડૂતોના હિતમાં વહેલી તકે નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરી છે.






Latest News