મોરબીના પંચાસર રોડે 300 મકાનનું ડિમોલેશન કરતાં પહેલા સ્થાનિકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ: કમિશનરને આવેદન પાઠવ્યું હળવદ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા, 25000 નો દંડ મોરબીની એલ.ઈ.કોલેજ (ડિપ્લોમા) ખાતે ૧૪ અને ૨૧ મે ના રોજ  કારકીર્દી માર્ગદર્શન સેમિનાર યોજાશે મોરબી : બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરવા માર્ગદર્શિકા જાહેર કરાઈ આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા ઉનાળા વેકેશન સ્પેશ્યલ રજામાં મજા સમર વેકેશન સ્પેશ્યલ વર્કશોપ મોરબી મહાપાલિકામાં ઓફ લાઇન મિકલત વેરો ભરે તો 10 અને ઓનલાઈન વેરો ભરે તો 12 ટકા રિબેટ મોરબીને સારા મેયર આપવા માટે જાગૃત નાગરિકે પ્રદેશ ભાજપ પ્રમુખને કરી રજૂઆત મોરબીમાં જુદીજુદી બે સંસ્થા દ્વારા લોકોને ગરમીની રાહત આપવા માટે શરબતનું વિતરણ કરાયું
Breaking news
Morbi Today

મોરબીમાં પતિએ તાવો કરવાની ના પાડતા પરણીતાએ મોત મીઠું કર્યું


SHARE













મોરબીમાં પતિએ તાવો કરવાની ના પાડતા પરણીતાએ મોત મીઠું કર્યું

મોરબીના નવલખી રોડ ઉપર આવેલી ન્યુ રેલ્વે કોલોનીમાં રહેતા અને રેલ્વેમાં કામકાજ કરતા યુવાનની સાથે પત્નીની જેમ રહેતી મહિલાએ તેના કવાટરમાં ગળેફાંસો ખાઈ લેતા તેણીનું મોત નીપજયુ હતું. સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૃતક પરણીતાએ માતાજીના મંદિરએ તાવો કરવા માટે કહ્યું હતું.જોકે હાલ વરસાદી માહોલ હોય તેના પતિએ હાલમાં તાવો કરવાની ના પાડતા પરિણીતાએ અંતિમ પગલું ભરી લીધું હતું.

મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથક ખાતે હાલમાં શ્રીકૃષ્ણકુમાર અજાબરામ ધુલે બાવાજી (32) મૂળ રહે. અમરાવતી મહારાષ્ટ્ર હાલ રહે. ન્યુ રેલવે કોલોની નવલખી રોડ મોરબી વાળાએ જાહેર કર્યું હતું કે, તેની સાથે મૈત્રી કરાર કરીને રહેતી ભાવિકાબેન અમૃતભાઈ મૂળજીભાઈ ખરાડી (26) હાલ રહે. ન્યુ રેલવે કોલોની નવલખી રોડ મોરબી મૂળ રહે. ભિલોડા જીલ્લો સાબરકાંઠાએ તેઓના ક્વાટરમાં ગળેફાંસો ખાઈ લીધો છે અને તેના મૃતદેહને પીએમ માટે સિવિલએ લાવવામાં આવેલ છે.બનાવની જાણ થતાં એ ડીવીજન પોલીસ મથકના પી.એસ.આઇ. કરકર તથા સ્ટાફના ધ્રુવરાજસિંહ તપાસ માટે પહોંચ્યા હતા અને તેમાં સામે આવ્યું હતું કે, મૃતક ભાવિકાબેન ખરાડી છેલ્લા કેટલાક વર્ષોથી મૈત્રી કરાર સાથે શ્રીકૃષ્ણકુમાર ધૂલેની સાથે રહેતા હતા અને મૃતકે નવલખી રોડ ઉપર આવેલ ધક્કાવારી મેલડી માતાના મંદિરે તાવો કરવા માટે કહ્યું હતું અને મૃતક ભાવિકાબેનએ તેમના પિયરના લોકોને પણ બોલાવી લીધા હતા.જેઓ અમદાવાદથી મોરબી આવવા માટે નીકળ્યા હતા. દરમિયાનમાં શ્રીકૃષ્ણકુમાર ધુલે જણાવ્યું હતું કે હાલ વરસાદનો સમય છે તાવો પછી કરીશું. જોકે ભાવિકાબેનના સગા મોરબી આવવા માટે નીકળી ગયા હોય આ બાબતનું તેણીને મનમાં લાગી ગયું હતું.જેથી મૃતક ભાવિકાબેનએ તેમના ક્વાર્ટરમાં અંતિમ પગલું ભરી લીધું હતું.






Latest News