મોરબીના જુના નાગડાવાસ ગામે યુવાને અંતિમ પગલું ભરી લીધું, પરિવાર ગમગીન
SHARE
મોરબીના જુના નાગડાવાસ ગામે યુવાને અંતિમ પગલું ભરી લીધું, પરિવાર ગમગીન
મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામે રહેતા કોળી પરિવારના યુવાને અંતિમ પગલું ભરી લેતા યુવાનનુ મોત નીપજ્યું હતું.જેથી તેના ડેડબોડીને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યું હતું અને તાલુકા પોલીસ મથકમાં જાણ કરવામાં આવેલી હોય તાલુકા પોલીસે પહોંચીને આગળની તપાસ હાથ ધરી હતી.
મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે તાલુકાના જુના નાગડાવાસ ગામે રહેતા કોળી પરિવારના અમુભાઈ પ્રભાતભાઈ સાંતોલા (ઉમર 20) એ તેના ઘરે તા. 25 ના બપોરના 3:30 વાગ્યાના અરસામાં ગળેફાસો ખાઈ લીધો હતો.જેથી તેનું મોત નીપજત્તા ડેડબોડીને પીએમ માટે સિવિલે લાવવામાં આવ્યું હતું અને તાલુકા પોલીસમાં જાણ થતા હાલ તાલુકા પોલીસ મથકના વી.એસ.ડાંગર આગળની તપાસ ચલાવી રહ્યા છે.વધુમાં સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૃતક ચાર ભાઈઓ અને ચાર બહેનો હતા.મૃતક વેડિંગનું મજૂરી કામ કરતો હતો.હાલ કયા કારણોસર તેણે અંતિમ પગલું ભર્યું છે..? તે તપાસનો વિષય છે.