સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન મોરબી જિલ્લા સેવા સદન ખાતે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું જનસંપર્ક કાર્યાલય શરૂ કરાયું મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે મોરબીમાં ત્રણ દિવસની ટ્રાફિક ડ્રાઇવમાં 105 સ્કૂલ વાહનને દંડ, 14 સ્કૂલ વાહન ડિટેઇન વાંકાનેરમાં મહોરમના તહેવાર અન્વયે ત્રણ દિવસ માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણી અન્વયે વાંકાનેરના ચંદ્રપુર ખાતે સેમીનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રમુખ બંગ્લોઝના પ્લોટમાં બની રહેલા પેટ્રોલપંપનો સ્થાનિક લોકો દ્વારા વિરોધ: કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું


SHARE

















મોરબીમાં પ્રમુખ બંગ્લોઝના પ્લોટમાં બની રહેલા પેટ્રોલપંપનો સ્થાનિક લોકો દ્વારા વિરોધ: કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

મોરબીમાં આવેલ પ્રમુખ બંગ્લોઝના મુખ્ય રોડ પર સોસાયટીના પ્લોટમાં પેટ્રોલ પંપ બનાવવામાં આવી રહ્યો છે જેથી કરીને હાલમાં સ્થાનિક લોકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવેલ છે અને આ બાબતે વાંધો લઈને સ્થાનિક લોકોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે અને આ પેટ્રોલપંપનું કામ રોકવામાં આવે તેવી માંગ કરી છે.

મોરબીના કેનાલ રોડે આવેલ પ્રમુખ બંગ્લોઝના રહેવાસીઓને બિલ્ડરે બાહેંધરી આપી હતી કે, ત્યાં કોઈ કોમર્શિયલ બાંધકામ કરવામાં આવશે નહીં પરંતુ પ્રમુખ બંગ્લોઝના પ્લોટ નં-૫ માં પેટ્રોલપંપનું બોર્ડ લગાવવામાં આવ્યું છે અને ત્યાં આગામી દિવસોમાં ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે જેથી કરીને આ વિસ્તારના લોકોએ કલેક્ટર કચેરીએ પહોચીને હાલમાં જે પેટ્રોલપંપ બનાવવા માટેનું કામ કરવામાં આવી રહ્યું છે તેને રોકવામાં આવે તેવી માંગ કરેલ છે.

વધુમાં લોકોએ અધિકારીને જણાવ્યુ હતું કે, આજથી સાત મહિના પહેલા પેટ્રોલપંપની સામે વાંધા અરજી આપેલ છે પરંતુ તેને ધ્યાને લેવામાં આવેલ નથી અને રહેણાક પ્લોટમાં પેટ્રોલપંપ બનાવવાનું કામ ચાલુ રાખવામા આવ્યું છે. જે વિસ્તારમાં આ પંપ બની રહ્યો છે ત્યાં અંદાજે 1,500 જેટલા લોકો રહે છે. ત્યાં જો ટીઆરપી ગેમઝોન જેવી ઘટના બને તો તેના માટે જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે. અને આ પ્લોટના માલિકને પેટ્રોલપંપ ન બનાવવા માટે કહ્યું હતું ત્યારે તેને કહ્યું હતું કે, તંત્ર અમારી સાથે છે, તમારાથી જે થાય તે કરી લો. ત્યારે સવાલ એ ઊઠે છે કે રહેણાક માટેના પ્લોટ ઉપર પેટ્રોલ પંપ બનાવવા માટે મંજૂર કેવી રીતે આપવામાં આવેલ છે તેની પાસ કરવામાં આવે તો કેટલાકના પગ નીચે રેલો આવે તેવી શક્યતા છે.




Latest News