વાંકાનેરના ઢૂંવા પાસે કારખાનામાં રિવર્સ આવતી કાર હેઠળ કચડાઈ જવાથી  ઇજા પામેલ દોઢ વર્ષની બાળકીનું સારવારમાં મોત મોરબીમાં ગ્રાહકોને હોમ લોન તથા વાહન લોન બાબતે બેન્ક તથા ફાયનાન્સ તરફથી થતી બીન અધિકૃત કનડગત દુર કરો-ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીમાં નાના બાળકોને શૈક્ષિણક કીટ આપીને આઈ શ્રી સોનલમાં નો જન્મોત્સવ ઉજવાયો મોરબી વિહિપ-બજરંગ દળ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુ યુવાનની હત્યાના વિરોધમાં કરાયું પૂતળા દહન મોરબી સિરામિક ઉદ્યોગના વિવિધ પ્રશ્નોને લગતી મુખ્યમંત્રી અને મંત્રીઓને સિરામિક એસો. દ્વારા કરાઇ રજૂઆત હળવદ પીજીવીસીએલ દ્વારા સુરક્ષા જ જિંદગી ના મંત્ર સાથે સેમિનાર યોજાયો શ્રી મનુભાઈ પંચોળી-સોક્રેટીસ સન્માન મેળવતા મોરબીની શ્રી બિલિયા પ્રાથમિક શાળાના પ્રતિભાશાળી શિક્ષક ગૌતમભાઈ ગોધવિયા મોરબીના ચકમપર ગામનો બનાવ : રીસામણે ગયેલ પત્ની પરત ન આવતી હોય લાગી આવતા યુવાને અનંતની વાટ પકડી
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રમુખ બંગ્લોઝના પ્લોટમાં બની રહેલા પેટ્રોલપંપનો સ્થાનિક લોકો દ્વારા વિરોધ: કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું


SHARE











મોરબીમાં પ્રમુખ બંગ્લોઝના પ્લોટમાં બની રહેલા પેટ્રોલપંપનો સ્થાનિક લોકો દ્વારા વિરોધ: કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

મોરબીમાં આવેલ પ્રમુખ બંગ્લોઝના મુખ્ય રોડ પર સોસાયટીના પ્લોટમાં પેટ્રોલ પંપ બનાવવામાં આવી રહ્યો છે જેથી કરીને હાલમાં સ્થાનિક લોકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવેલ છે અને આ બાબતે વાંધો લઈને સ્થાનિક લોકોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે અને આ પેટ્રોલપંપનું કામ રોકવામાં આવે તેવી માંગ કરી છે.

મોરબીના કેનાલ રોડે આવેલ પ્રમુખ બંગ્લોઝના રહેવાસીઓને બિલ્ડરે બાહેંધરી આપી હતી કે, ત્યાં કોઈ કોમર્શિયલ બાંધકામ કરવામાં આવશે નહીં પરંતુ પ્રમુખ બંગ્લોઝના પ્લોટ નં-૫ માં પેટ્રોલપંપનું બોર્ડ લગાવવામાં આવ્યું છે અને ત્યાં આગામી દિવસોમાં ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે જેથી કરીને આ વિસ્તારના લોકોએ કલેક્ટર કચેરીએ પહોચીને હાલમાં જે પેટ્રોલપંપ બનાવવા માટેનું કામ કરવામાં આવી રહ્યું છે તેને રોકવામાં આવે તેવી માંગ કરેલ છે.

વધુમાં લોકોએ અધિકારીને જણાવ્યુ હતું કે, આજથી સાત મહિના પહેલા પેટ્રોલપંપની સામે વાંધા અરજી આપેલ છે પરંતુ તેને ધ્યાને લેવામાં આવેલ નથી અને રહેણાક પ્લોટમાં પેટ્રોલપંપ બનાવવાનું કામ ચાલુ રાખવામા આવ્યું છે. જે વિસ્તારમાં આ પંપ બની રહ્યો છે ત્યાં અંદાજે 1,500 જેટલા લોકો રહે છે. ત્યાં જો ટીઆરપી ગેમઝોન જેવી ઘટના બને તો તેના માટે જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે. અને આ પ્લોટના માલિકને પેટ્રોલપંપ ન બનાવવા માટે કહ્યું હતું ત્યારે તેને કહ્યું હતું કે, તંત્ર અમારી સાથે છે, તમારાથી જે થાય તે કરી લો. ત્યારે સવાલ એ ઊઠે છે કે રહેણાક માટેના પ્લોટ ઉપર પેટ્રોલ પંપ બનાવવા માટે મંજૂર કેવી રીતે આપવામાં આવેલ છે તેની પાસ કરવામાં આવે તો કેટલાકના પગ નીચે રેલો આવે તેવી શક્યતા છે.






Latest News