ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીની સરકારી શાળાના શિક્ષક અશોકભાઈ કાંજીયાનું રાજ્યપાલ-મુખ્યમંત્રીએ કર્યું શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન


SHARE







મોરબીની સરકારી શાળાના શિક્ષક અશોકભાઈ કાંજીયાનું રાજ્યપાલ-મુખ્યમંત્રીએ કર્યું શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન

ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ આયોજીત રાજ્ય કક્ષા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકનું અમદાવાદ ટાગોર હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિજેતા શિક્ષકોને રોકડ પુરસ્કાર, પ્રમાણપત્ર અને બ્રાસ પ્લેટ દ્વારા સન્માનીત કરવામાં આવ્યા હતા. ત્યારે મોરબીના ખાખરાળાના વતની અને હાલ નાનીવાવડી કુમાર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા પ્રાથમિક શાળાના શિક્ષણમાં ઇનોવેટીવ અને ગમ્મત સાથે જ્ઞાન આપનાર તથા સરકારી શાળા શ્રેષ્ઠ શાળાને ચરિતાર્થ કરનાર અશોકકુમાર મહાદેવભાઈ કાંજીયાને પણ ઈનામ આપવામાં આવ્યું હતું. અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે સન્માનીત કરવામાં આવ્યું હતા અને ૫૧.૦૦૦ રૂપિયાનો ચેક પણ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રી ઉપરાંત કેબિનેટ શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોર, રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા, શિક્ષણ સચિવ મુકેશકુમાર, GCERT નિયામક એમ.આઈ. જોષી, ગુજરાત પાઠયપુસ્તક મંડળના સભ્યો તથા એવોર્ડી શિક્ષક પરીવાર ઉપસ્થિત રહ્યા હતા






Latest News