ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન
Breaking news
Morbi Today

મોરબી યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજના આચાર્યનાં વિદાય સમારોહમાં રાજ્ય મંત્રી મેરજા હાજર રહયા


SHARE













મોરબી યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજના આચાર્યનાં વિદાય સમારોહમાં રાજ્ય મંત્રી મેરજા હાજર રહયા

મોરબીની શ્રી સર્વોદય એજ્યુકેશન સોસાયટીના આચાર્ય ડૉ. એલ.એમ. કંઝારિયાના નિવૃતિ પ્રસંગે વિદાય સમારંભનું આયોજન રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું આ વિદાય સમારંભમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ નિવૃત થતાં સંસ્થાના આચાર્ય ડૉ. એલ.એમ. કંઝારિયાના શૈક્ષણિક કાર્યો અને કાર્યપદ્ધતિ અંગે પ્રકાશ પાડી શિક્ષણ ક્ષેત્રમાં તેમણે કરેલા પ્રદાનને બિરદાવ્યું હતું. વધુમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કેસંસ્થાના પૂર્વ પ્રમુખ છબીલભાઇ સંઘવીએ જે જવાબદારી ડૉ. કંઝારીયાને સોંપી છે તેને નિષ્ઠાપૂર્વક નીભાવી આ સંસ્થાને શ્રેષ્ઠ બનાવવામાં મહત્તમ ફાળો આપ્યો છે.

આ કાર્યક્રમના પ્રારંભે સંસ્થાના પ્રમુખ પ્રદિપભાઇ વોરાએ પ્રસંગોચિત્ત ઉદ્દબોધન કરી સંસ્થાના કાર્યો અંગે વિસ્તારથી સૌને વાકેફ કર્યા હતા. જ્યારે સંસ્થાના કે. આર. દંગીએ પ્રાસંગિત પ્રવચન કર્યું હતું. સંસ્થાના આગેવાન કેતનભાઇ દફતરી દ્વારા નિવૃત થતાં આચાર્ય ડૉ. એલ.એમ. કંઝારિયાને આપવામાં આવેલ બહુમાનપત્રનું વાંચન કર્યુ હતું. આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડૉ. વિજયભાઇ દેસાણીએ નિવૃતિ બાદ પણ એલ.એમ. કંઝારીયા આ સંસ્થાને પોતાનો લાભ આપતા રહેશે તેવી અભિલાષા વ્યક્ત કરી હતી. સાંસદ મોહનભાઇ કુંડારીયાએ પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કેદેશ સેવામાં કાર્યરત અનેક યુવાનો કંઝારીયાના માર્ગદર્શન હેઠળ તૈયાર થયા છે. અને નિવૃત થનાર આચાર્ય ડૉ. એલ.એમ. કંઝારિયાએ પોતાના પ્રતિભાવમાં જણાવ્યું કેસંસ્થા દ્વારા હંમેશા અપેક્ષા કરતાં વધુ સન્માન મળ્યું છે. આ વિદાય સમારંભમાં સર્વોદય સંસ્થા સાથે જોડાયેલ વિદ્યાર્થીઓશિક્ષણ સ્ટાફ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન કેતનભાઇ દફતરી અને કાર્યક્રમના અંતે સંસ્થાના અરૂણભાઇ વોરા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.






Latest News