મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

માળીયા(મી)ના વેણાસરમાં યુવાન ઉપર કાર ચડાવીને નિર્મમ હત્યા કરવાના ગુનામાં બંને આરોપીની ધરપકડ


SHARE













માળીયા(મી)ના વેણાસરમાં યુવાન ઉપર કાર ચડાવીને નિર્મમ હત્યા કરવાના ગુનામાં બંને આરોપીની ધરપકડ

 માળીયા(મિં.) તાલુકાના વેણાસર ગામે યુવાનની ઉપર કાર ચડાવીને તેની નિર્મમ હત્યા કરવામાં આવેલ હતી જે બનાવમાં મૃતક યુવાનના ભાઈજીના દીકરા ભાઈએ માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હાલમાં બંને આરોપીની ધરપકડ કરેલ છે

માળીયા(મી)ના વેણાસર ગામના રહેતા રણજીતભાઈ મહિપતભાઈ કુંવરિયા નામના ૩૨ વર્ષીય યુવાનની તા.૨૮ ના રોજ બપોરના સમયે ગામની બાજુમાં નદીની પાસે સીમ વિસ્તારમાં જમવા માટેનો પ્રોગ્રામ કરેલ જેમાં મૃતક રણજીત અને તેનો કૌટુંબીક ભાઈ સહિતના ભેગા થયા હતા ત્યારે રણજીતને જમવા બાબતે વેણાસર ગામે જ રહેતા સુનિલ લાભૂભાઇ કોરડીયા અને સંદીપ લાભૂભાઇ કોરડીયા નામના શખ્સો સાથે બોલા ચાલી અને ઝઘડો થયો હતો ત્યારે રણજીત સાથેના અગાઉના મનદુખનો ખાર રાખીને તેના ઉપર ગાડી નંબર જીજે ૧૭ એન ૪૪૯૫ ચડાવી દઇને રણજીતની નિર્મમ હત્યા કરી નાંખી હતી અને આ બનાવમાં પ્રકાશભાઈ અને અશોકભાઇ કુવરિયાને પણ નાના મોટી ઇજાઓ થઈ હતી અને અશોકભાઇ જીલુભાઇ કુવરિયાએ માળીયા તાલુકા પોલીસ સ્ટેશને સુનિલ લાભૂભાઇ કોરડીયા અને સંદીપ લાભૂભાઇ કોરડીયા નામના બે સગા ભાઈની સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હાલમાં આ ગુનામાં સુનિલ લાભૂભાઇ કોરડીયા અને સંદીપ લાભૂભાઇ કોરડીયા રહે, બંને વેણાસર વાળાની ધરપકડ કરેલ છે




Latest News