હળવદના ચરાડવા ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઘૂટું ગામે કૂવામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી સુરજબાગમાં બાલ ભવન બનાવવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખની માંગ મોરબીમાં જલારામ ધામ ખાતે સ્વ.રમણીકભાઈ પોપટ અને પોપટ પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે મોરબીમાં દત્તક લીધેલી વિદ્યાર્થિનીને મુસ્કાન વેલફેર સોસાયટીનો સતત સહયોગ મોરબીમાં રાજપૂત સમાજ ભવન માટે જમીન આપવા બદલ રાજવી પરિવારના મહારાજા કુમારીઓનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરીને આભાર વ્યક્ત કરાયો મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ પદે સતત બીજા વર્ષે ડો. સુષ્માબેન દુધરેજીયાની  નિમણુક ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન
Breaking news
Morbi Today

મોરબીમાં બિલ્ડિંગની મંજુરી-ફાયર સેફ્ટીના અભાવે વીજ કનેક્શન ન મળતા ફ્લેટ ધારકો હેરાન: કલેકટરને રજૂઆત


SHARE











મોરબીમાં બિલ્ડિંગની મંજુરી-ફાયર સેફ્ટીના અભાવે વીજ કનેક્શન ન મળતા ફ્લેટ ધારકો હેરાન: કલેકટરને રજૂઆત

થોડા સમય પહેલા રાજકોટ ગેમઝોન દુર્ઘટના બની હતી ત્યાર પછીથી મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં નવા ફ્લેટ ધારકોને પીજીવીસીએલ દ્વારા વીજ કનેક્શન આપવામાં આવતા નથી જેથી કરીને લોકો હેરાન છે ત્યારે આ બાબતે ફ્લેટ ધારકોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને યોગ્ય કરવા માટે રજૂઆત કરી હતી.

મોરબીના જુદાજુદા વિસ્તારમાં નવ બહુમાળી બની રહ્યા છે જો કે, વીજ કનેક્શન આપવામાં આવતા નથી જેથી ફ્લેટ ધારકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યા છે ત્યારે આજે આવા લોકો કલેક્ટરને રજૂઆત કરવા માટે આવ્યા હતા અને જણાવ્યુ હતું કે, તેઓને માલિકીના ફ્લેટમાં વીજ કનેક્શન પીજીવીસીએલ દ્વારા આપવામાં આવી રહ્યા નથી. જેથી કરીને ફ્લેટના માલિકો હોવા છતાં ભાડાના મકાનમાં રહેવું પડે છે. અને આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ફ્લેટ ધારકોને વીજ કનેક્શન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ બાબતે કલેક્ટર કે.બી. ઝવેરીએ જણાવ્યું હતું કે, ઘણા બિલ્ડિંગમાં મંજૂરી નથી અને ફાયર સેફ્ટી પણ નથી જેથી પીજીવીસીએલ નવા મીટરની મંજૂરી નહીં આપે જો આવા બિલ્ડિંગમાં ભવિષ્યમાં રાજકોટ ગેમઝોન જેવી દુર્ઘટના થાય તો જવાબદાર તંત્ર ઠરશે. જેથી કરીને બાંધકામ મંજૂરી અને ફાયર સેફ્ટી માટે ફ્લેટ ધારકો બિલ્ડરને ફરિયાદ કરી શકે છે.






Latest News