મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન મોરબીની પી.જી.પટેલ કોલેજની ઇન્ટર કલાસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં SY BBA ની ટીમ બની ચેમ્પિયન મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અધિકારીઓની મિટિંગ યોજાઇ મોરબીનો પાડા પુલ 15 દિવસમાં રીપેર ન કરે તો આંદોલન: જિલ્લા યુવક કોંગ્રેસની ચીમકી મોરબીમાં સાયબર ફ્રોડના ગુના પકડાયેલ ડોક્ટર સામે અગાઉ 3 રાજ્યોમાં નોંધાયા છે ફરિયાદ, હાલમાં આરોપી જેલ હવાલે, વધુ એકની ધરપકડ મોરબીમાં રિસામણે ગયેલી પત્ની સાથે ફોન ઉપર વાત કર્યા બાદ દવા પી ગયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં માતાએ દિવાળીએ સફાઈકામનું કહેતા ચોથા માળેથી ઝંપલાવતા યુવતીને રાજકોટ ખસેડાઇ


SHARE













મોરબીમાં માતાએ દિવાળીએ સફાઈકામનું કહેતા ચોથા માળેથી ઝંપલાવતા યુવતીને રાજકોટ ખસેડાઇ

મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના ચોથા માળેથી નીચે પટકાતાં યુવતીને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાઇ હોવાનું જાણવા છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે દિવાળી સંદર્ભે તેણીની માતાએ કામ બાબતે કહેતા તે બાબતે મીઠુ લાગી આવતાં યુવતીએ ઉપરોક્ત પગલું ભર્યું હતું..!

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રવાપર ગામે રવાપર રેસીડેન્સીની સામે આવેલ શિવ એપાર્ટમેન્ટમાં રહેતી ભગવતીબેન દલસુખભાઈ બરાસરા નામની અઢાર વર્ષીય પટેલ યુવતીએ તેના એપાર્ટમેન્ટના ચોથા માળેથી નીચે ઝંપલાવી દીધુ હતું.જેથી ઈજાગ્રસ્ત હાલતમાં તેણીને ક્રિષ્ના હોસ્પિટલે ખસેડવામાં આવી હતી અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાઇ હતી બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના એમ.એસ. મેસવાણીયાએ તપાસ કરતાં કહ્યું હતું કે ભગવતીબેનની માતાએ તેણીને દિવાળીનું સફાઇ કામ કરવાનું કહ્યું હતું જે બાબતે મનોમન લાગી આવતા ચોથા માળેથી નિચે ઝંપલાવી દેતા ભગવતીબેનને સારવારમાં મોરબી બાદ રાજકોટ લઇ જવાઇ હતી તેણીને ફ્રેકચર જેવી ઇજા થવા પામેલ છે.

યુવાન રાજકોટ ખસેડાયો

ટંકારા તાલુકાના સજનપર ગામનો રહેવાસી પૃથ્વી દેવરાજભાઈ જાદવ નામના ૨૦ વર્ષના યુવાને તેના ઘેર કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો અહીં તેને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયો હોવાનું મોરબી એ ડિવિઝન પોલીસ સુત્રોએ જણાવેલ છે અને આગળની તપાસ અર્થે ટંકારા પોલીસને બનાવની જાણ કરી હતી.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના સામાકાંઠે ઘુંટું રોડ ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં જુસબ નુરદ્દીનભાઈ કજેરીયા નામના ૨૫ વર્ષીય યુવાન કિશોર દેવજીભાઈ રાઠોડ નામના ૫૦ વર્ષિય આધેડને ઇજાઓ થતાં બંનેને સામાકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલે સારવારમાં લઈ જવાયા હતા બનાવને પગલે તાલુકા પોલીસ મથકના જીજ્ઞાશાબેન કણસાગરાએ તપાસ હાથ ધરી છે.






Latest News