હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં માતાએ દિવાળીએ સફાઈકામનું કહેતા ચોથા માળેથી ઝંપલાવતા યુવતીને રાજકોટ ખસેડાઇ


SHARE

















મોરબીમાં માતાએ દિવાળીએ સફાઈકામનું કહેતા ચોથા માળેથી ઝંપલાવતા યુવતીને રાજકોટ ખસેડાઇ

મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના ચોથા માળેથી નીચે પટકાતાં યુવતીને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાઇ હોવાનું જાણવા છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે દિવાળી સંદર્ભે તેણીની માતાએ કામ બાબતે કહેતા તે બાબતે મીઠુ લાગી આવતાં યુવતીએ ઉપરોક્ત પગલું ભર્યું હતું..!

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રવાપર ગામે રવાપર રેસીડેન્સીની સામે આવેલ શિવ એપાર્ટમેન્ટમાં રહેતી ભગવતીબેન દલસુખભાઈ બરાસરા નામની અઢાર વર્ષીય પટેલ યુવતીએ તેના એપાર્ટમેન્ટના ચોથા માળેથી નીચે ઝંપલાવી દીધુ હતું.જેથી ઈજાગ્રસ્ત હાલતમાં તેણીને ક્રિષ્ના હોસ્પિટલે ખસેડવામાં આવી હતી અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાઇ હતી બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના એમ.એસ. મેસવાણીયાએ તપાસ કરતાં કહ્યું હતું કે ભગવતીબેનની માતાએ તેણીને દિવાળીનું સફાઇ કામ કરવાનું કહ્યું હતું જે બાબતે મનોમન લાગી આવતા ચોથા માળેથી નિચે ઝંપલાવી દેતા ભગવતીબેનને સારવારમાં મોરબી બાદ રાજકોટ લઇ જવાઇ હતી તેણીને ફ્રેકચર જેવી ઇજા થવા પામેલ છે.

યુવાન રાજકોટ ખસેડાયો

ટંકારા તાલુકાના સજનપર ગામનો રહેવાસી પૃથ્વી દેવરાજભાઈ જાદવ નામના ૨૦ વર્ષના યુવાને તેના ઘેર કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો અહીં તેને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયો હોવાનું મોરબી એ ડિવિઝન પોલીસ સુત્રોએ જણાવેલ છે અને આગળની તપાસ અર્થે ટંકારા પોલીસને બનાવની જાણ કરી હતી.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના સામાકાંઠે ઘુંટું રોડ ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં જુસબ નુરદ્દીનભાઈ કજેરીયા નામના ૨૫ વર્ષીય યુવાન કિશોર દેવજીભાઈ રાઠોડ નામના ૫૦ વર્ષિય આધેડને ઇજાઓ થતાં બંનેને સામાકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલે સારવારમાં લઈ જવાયા હતા બનાવને પગલે તાલુકા પોલીસ મથકના જીજ્ઞાશાબેન કણસાગરાએ તપાસ હાથ ધરી છે.




Latest News