માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીની પીપળીયા ચોકડીથી આમરણ સુધીનો હાઇવે રસ્તો રિસર્ફેસ કરો : જયંતિભાઇ પટેલ


SHARE

















મોરબીની પીપળીયા ચોકડીથી આમરણ સુધીનો હાઇવે રસ્તો રિસર્ફેસ કરો : જયંતિભાઇ પટેલ

મોરબીના નવલખી હાઇવે ઉપર આવેલ પીપળીયા ચોકડીથી આમરણ સુધીનો હાઇવે રસ્તો રિસર્ફેસ કરવા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્રારા લોકહીતમાં માંગ કરવામાં આવેલ છે.

કલેકટર સમક્ષ કરાયેલ માંગમાં જણાવવામાં આવેલ છેકે મોરબીના પીપળીયા ચાર રસ્તાથી આમરણ જવાનો હાઇવે હાલમાં બહુ જ બિસ્માર હાલતમાં હોવાથી આ રસ્તાને તાત્કાલિક ધોરણે પેચીંગ અને રિસર્ફેસ કરવાવો જરૂરી બન્યુ છે. મોરબી તાલુકાના ગામડાઓમાંથી લેખિત તથા મૌખિક અનેક ફરીયાદો રોડ બાબતે આવે છે.તો દિવાળી અને બેસતા વર્ષ જેલા તહેવારો માથે હોય સમયસર ખખડધજ રોડ-રસ્તાના કામો બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી કલેકટરને મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઇ જે.પટેલે ખાસ ભલામણ સહ રજૂઆત કરેલ છે.આ લોકોને કનડતા પ્રશ્ન અંગેની રજુઆતને ધ્યાનમાં લઈને એકાદ દિવસની અંદર જ આ રસ્તાઓનું કામ ચાલુ કરવામાં નહિ આવે તો ના છુટકે સ્થાનીકોને સાથે રહીને ગાંધી ચીંધ્યા માર્ગે રસ્તા રોકો આંદોલન કરવાની નોબત આવશે તેવી મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતીના પ્રમુખ જયંતિભાઇ જે.પટેલે ચીમકી ઉચ્ચારેલ છે.




Latest News