વાંકાનેર બાઉન્ડ્રી પાસે અજાણ્યા વાહન ચાલકને આધેડને ચગદી નાખતા ઘટના સ્થળે જ મોત
હળવદમાં ખેડૂતના આપઘાતના બનાવમાં ત્રણ વ્યાજખોરો સામે નોંધાયો ગુનો
SHARE







હળવદમાં ખેડૂતના આપઘાતના બનાવમાં ત્રણ વ્યાજખોરો સામે નોંધાયો ગુનો
હળવદ જીઆઇડીસી પાછળથી પસાર થતી ધાંગધ્રા બ્રાન્ચ કેનાલની અંદર ઝંપલાવીને ખેડૂતોએ ગઇકાલે આપઘાત કર્યો હતો જે બનાવમાં હાલમાં મૃતક ખેડૂતના દિકરાએ ત્રણ વ્યાજખોરોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી વિગત મુજબ હળવદ તાલુકા નવા વેગડવાવ ગામે રહેતા પ્રકાશભાઈ મનજીભાઈ સોનગરા જાતે દલવાડી (ઉમર ૩૬)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જેરામભાઈ ગંગારામભાઈ દલવાડી રહે. લીલપર તાલુકો હળવદ, રાયમલભાઈ ભગવાનજીભાઈ કોળી રહે, જુના વેગડવાવ અને નારાયણભાઈ કુબેરભાઈ દલવાડી રહે, લીલાપર તાલુકો હળવદ વાળાની સામે પોતાના પિતાને મારવા માટે મજબૂર કર્યા હોવા અંગેની ફરિયાદ નોંધાવે છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓના પિતાને જેરામભાઈ અને રાયમલભાઈએ નારણભાઈ કુબેરભાઈ દલવાડી પાસેથી વ્યાજે રૂપિયા અપાવ્યા હતા અને આ રૂપિયાની તેઓ દ્વારા અવારનવાર પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને તેઓના પિતાને ધાકધમકી આપીને ત્રાસ આપવામાં આવતો હતો જેથી કરીને તેના પિતા પાસે મારવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હોય તેઓએ ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો જેથી કરીને હાલમાં પ્રકાશભાઈની ફરિયાદ લઈને પોલીસે ત્રણ શખ્સોની સામે આઇપીસી કલમ ૩૦૬, ૧૧૪ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે
