મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

હળવદમાં ખેડૂતના આપઘાતના બનાવમાં ત્રણ વ્યાજખોરો સામે નોંધાયો ગુનો


SHARE









હળવદમાં ખેડૂતના આપઘાતના બનાવમાં ત્રણ વ્યાજખોરો સામે નોંધાયો ગુનો

હળવદ જીઆઇડીસી પાછળથી પસાર થતી ધાંગધ્રા બ્રાન્ચ કેનાલની અંદર ઝંપલાવીને ખેડૂતોએ ગઇકાલે આપઘાત કર્યો હતો જે બનાવમાં હાલમાં મૃતક ખેડૂતના દિકરાએ ત્રણ વ્યાજખોરોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ હળવદ તાલુકા નવા વેગડવાવ ગામે રહેતા પ્રકાશભાઈ મનજીભાઈ સોનગરા જાતે દલવાડી (ઉમર ૩૬)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જેરામભાઈ ગંગારામભાઈ દલવાડી રહે. લીલપર તાલુકો હળવદ, રાયમલભાઈ ભગવાનજીભાઈ કોળી રહેજુના વેગડવાવ અને નારાયણભાઈ કુબેરભાઈ દલવાડી રહે, લીલાપર તાલુકો હળવદ વાળાની સામે પોતાના પિતાને મારવા માટે મજબૂર કર્યા હોવા અંગેની ફરિયાદ નોંધાવે છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓના પિતાને જેરામભાઈ અને રાયમલભાઈએ નારણભાઈ કુબેરભાઈ દલવાડી પાસેથી વ્યાજે રૂપિયા અપાવ્યા હતા અને આ રૂપિયાની તેઓ દ્વારા અવારનવાર પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને તેઓના પિતાને ધાકધમકી આપીને ત્રાસ આપવામાં આવતો હતો જેથી કરીને તેના પિતા પાસે મારવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હોય તેઓએ ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો જેથી કરીને હાલમાં પ્રકાશભાઈની ફરિયાદ લઈને પોલીસે ત્રણ શખ્સોની સામે આઇપીસી કલમ ૩૦૬, ૧૧૪ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે






Latest News