મોરબીમાં મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ મોરબી તાલુકા પોલીસ લાઇનમાં રહેતો પોલીસ કોન્સ્ટેબલ ગુમ પોલીસની ઓસરતી ધાક ચિંતાનો વિષય : મોરબીમાં અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો રોષ રાખીને યુવાન ઉપર લાકડી વડે હુમલો મોરબીના લાલપર ગામ નજીકથી સગીરાનું અપહરણ મોરબીના જેતપર રોડ ઉપર હાર્ટ એટેક આવી જતા યુવાનનું મોત સમયનો સદુપયોગ: મોરબીમાં ગેસના અભાવે સિરામિક કારખાના બંધ થતાની સાથે કિલન સહિતની મશીનરીનું મેન્ટેનન્સ શરૂ સોશ્યલ મીડિયાથી સાવધાન: મોરબીના યુવાનને શેર બજારમાં 1.11 કરોડનો નફો થયો હોવનું કહીને 50.14 લાખની છેતરપિંડી મોરબીના લક્ષ્મીનગર નજીક કોમ્પલેક્ષની પાછળ પાર્ક કરેલા ટ્રકની ચોરી ! 
Breaking news
Morbi Today

હળવદમાં ખેડૂતના આપઘાતના બનાવમાં ત્રણ વ્યાજખોરો સામે નોંધાયો ગુનો


SHARE













હળવદમાં ખેડૂતના આપઘાતના બનાવમાં ત્રણ વ્યાજખોરો સામે નોંધાયો ગુનો

હળવદ જીઆઇડીસી પાછળથી પસાર થતી ધાંગધ્રા બ્રાન્ચ કેનાલની અંદર ઝંપલાવીને ખેડૂતોએ ગઇકાલે આપઘાત કર્યો હતો જે બનાવમાં હાલમાં મૃતક ખેડૂતના દિકરાએ ત્રણ વ્યાજખોરોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ હળવદ તાલુકા નવા વેગડવાવ ગામે રહેતા પ્રકાશભાઈ મનજીભાઈ સોનગરા જાતે દલવાડી (ઉમર ૩૬)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જેરામભાઈ ગંગારામભાઈ દલવાડી રહે. લીલપર તાલુકો હળવદ, રાયમલભાઈ ભગવાનજીભાઈ કોળી રહેજુના વેગડવાવ અને નારાયણભાઈ કુબેરભાઈ દલવાડી રહે, લીલાપર તાલુકો હળવદ વાળાની સામે પોતાના પિતાને મારવા માટે મજબૂર કર્યા હોવા અંગેની ફરિયાદ નોંધાવે છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓના પિતાને જેરામભાઈ અને રાયમલભાઈએ નારણભાઈ કુબેરભાઈ દલવાડી પાસેથી વ્યાજે રૂપિયા અપાવ્યા હતા અને આ રૂપિયાની તેઓ દ્વારા અવારનવાર પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને તેઓના પિતાને ધાકધમકી આપીને ત્રાસ આપવામાં આવતો હતો જેથી કરીને તેના પિતા પાસે મારવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હોય તેઓએ ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો જેથી કરીને હાલમાં પ્રકાશભાઈની ફરિયાદ લઈને પોલીસે ત્રણ શખ્સોની સામે આઇપીસી કલમ ૩૦૬, ૧૧૪ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે




Latest News