મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં રજવાડી પોશાક, તલવાર અને સાફા સાથે મહારેલી-શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબીમાં રજવાડી પોશાક, તલવાર અને સાફા સાથે મહારેલી-શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો

મોરબીમાં રાજપૂત સમાજ દ્વારા દરવર્ષે દશેરાના દિવસે રેલી અને શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ રાખવામા આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ મોરબીમાં પરંપરાગત રેલી યોજાઇ હતી અને ત્યાર બાદ શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ શનાળા શક્તિ માતાજીનાં મંદિરે યોજાયો હતો જેમા મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો જોડાયા હતા અત્રે ઉલેખનીય છે કે, મોરબીમાં રાજપૂત સમાજ દ્વારા દર વર્ષે  વિજયા દશમીના દિવસે મહારેલી અને શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આજે મહારેલી અનો શસ્ત્ર પુજનનો કાર્યક્રમ રાખવામા આવેલ હતો અને બપોરે ત્રણ વાગ્યે મોરબી સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલથી મહારેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યુ હતુ જે રેલીમાં રાજપૂત ક્ષત્રિય ભાઈઓ રજવાડી પોશાકમાં તલવાર અને સાફા સાથે જોડાયા હતા અને આ રેલીમાં ઘોડા પણ રાખવામાં આવ્યા હતા અને મોરબીના શકત શનાળા ગામે આવેલ શક્તિ માતાજીના મંદિરે આ રેલીને પૂરી કરવામાં આવી હતી ત્યાર બાદ ત્યાં શસ્ત્ર પૂજન કરવામાં આવ્યુ હતુ. મોરબી જીલ્લા રાજપુત સમાજના પ્રમુખ દશરથસિંહ ઝાલા બહાર ગામ ધાર્મિક પ્રસંગમાં હોવાથી સમાજના મહામંત્રી મહાવીરસિંહ જાડેજાની આગેવાનીમાં મોરબીના મુખ્ય માર્ગ ઉપરથી મહારેલી નીકળી હતી અને શસ્ત્રપુજનનો કાર્યક્રમ યોજાયો હતો




Latest News