મોરબીમાં હિસાબ માટે બોલાવીને પિતા-પુત્ર ઉપર લોખંડના પાઇપ અને ધોકા વડે ચાર શખ્સનો હુમલો
મોરબીમાં કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાના સુશાસન દિવસની ઉજવણી કરાઇ
SHARE








મોરબીમાં કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાના સુશાસન દિવસની ઉજવણી કરાઇ
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સફળ અને સક્ષમ નેતૃત્વના ૨૩ વર્ષ પૂર્ણ થતાં હોય વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે. ત્યારે મોરબીમાં સ્કાય મોલ ખાતે જિલ્લાકક્ષાના સુશાસન દિવસની ઉજવણી જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીના અધ્યક્ષ સ્થાને ઉજવણી કરવામાં આવી હતી. આ સુશાસન દિવસની ઉજવણીમાં જિલ્લા કલેકટરએ પીપીટી રજૂ કરીને અધિકારીઓને જણાવ્યું હતું કે, સુશાસન આપવા અધિકારીઓએ દરરોજ આત્મમંથન અને મનોમંથન કરવું જોઈએ. આ માટે તો પોતાની તથા નીચેના કર્મચારીઓની ફરજમાં નિયમિતતા, શિષ્ટ, સ્વચ્છતાનો અભિગમ કેળવાવો જોઈએ. કચેરીમાં અરજદારો સાથે સારી રીતે વર્તણૂંક થાય, કાયદાઓ- નિયમોથી અપડેટ રહેવું જોઈએ. કોઈપણ અરજદારને અન્યાય ના થઈ જાય અને સૌને પોતાના કામ બદલ દિવસના અંતે આત્મસંતોષ પ્રાપ્ત થાય તે રીતે કામગીરી કરવા માટેની કલેકટરે ટકોર કરી હતી આ તકે ડીડીઓ સહિતના જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા

