મોરબી મનપાએ કટ કરાવેલ વ્રજ વાટિકા બિલ્ડિંગનું વિજ કનેક્શન હાઇકોર્ટના આદેશથી જોડી દેવાયું મોરબી જિલ્લા પોલીસ દ્વારા આયોજિત સ્પર્ધાના વિજેતાઓને એસપીના હસ્તે ઇનામ વિતરણ કરાયું મોરબીની સાર્થક વિદ્યામંદિર-સરસ્વતી શિશુ મંદિર શાળાને મળ્યું સંસ્કૃત સન્માન મોરબી ભારત વિકાસ પરિષદ અને IMA દ્વારા ગર્ભ સંસ્કાર સેમિનાર યોજાયો માળીયા (મીં)ના વર્ષામેડી ફાટકથી બોડકી જવાના રસ્તા જામગરી બંદુક સાથે એક શખ્સ પકડાયો ટંકારાના અપહરણ-પોક્સોના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીમાં સ્વ.મધુવન ભગવાનજીભાઈ મકવાણાના સ્મરણાર્થે સ્કૂલ કીટનું વિતરણ: ​​​​​​​મોટીબરારની પ્રાથમિક અને માધ્યમિક શાળામાં પ્રવેશોત્સવ યોજાયો મોરબી જિલ્લાના સજનપર, હડમતીયા, રોટરીગ્રામ, અમરનગર, શક્તિનગર, રવાપર નદી, ભક્તિનગર, ત્રાજપર, ભડિયાદ ગામે શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો
Breaking news
Morbi Today

મોરબીમાં કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાના સુશાસન દિવસની ઉજવણી કરાઇ


SHARE















મોરબીમાં કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાના સુશાસન દિવસની ઉજવણી કરાઇ

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સફળ અને સક્ષમ નેતૃત્વના ૨૩ વર્ષ પૂર્ણ થતાં હોય વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે. ત્યારે મોરબીમાં સ્કાય મોલ ખાતે જિલ્લાકક્ષાના સુશાસન દિવસની ઉજવણી જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીના અધ્યક્ષ સ્થાને ઉજવણી કરવામાં આવી હતી. આ સુશાસન દિવસની ઉજવણીમાં જિલ્લા કલેકટરએ પીપીટી રજૂ કરીને અધિકારીઓને જણાવ્યું હતું કે, સુશાસન આપવા અધિકારીઓએ દરરોજ આત્મમંથન અને મનોમંથન કરવું જોઈએ. આ માટે તો પોતાની તથા નીચેના કર્મચારીઓની ફરજમાં નિયમિતતા, શિષ્ટ, સ્વચ્છતાનો અભિગમ કેળવાવો જોઈએ. કચેરીમાં અરજદારો સાથે સારી રીતે વર્તણૂંક થાય, કાયદાઓ- નિયમોથી અપડેટ રહેવું જોઈએ. કોઈપણ અરજદારને અન્યાય ના થઈ જાય અને સૌને પોતાના કામ બદલ દિવસના અંતે આત્મસંતોષ પ્રાપ્ત થાય તે રીતે કામગીરી કરવા માટેની કલેકટરે ટકોર કરી હતી આ તકે ડીડીઓ સહિતના જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા






Latest News