મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબીથી ટંકારા સુધીનો હાઇવે રીપેર કરવા મુખ્યમંત્રીને રજુઆત


SHARE











મોરબીથી ટંકારા સુધીનો હાઇવે રીપેર કરવા મુખ્યમંત્રીને રજુઆત

મોરબીથી ટંકારા સુધીનો જે હાઇવે રોડ આવેલ છે તેમાં રીપેરીંગ કરવાની જરૂર છે જેથી કરીને ટંકારાના વિરપર ગામે રહેતા સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવીએ મુખ્યમંત્રીને હાઇવે રોડ રીપેર કરવા રજુઆત કરી છે.

હાલમાં હસમુખભાઈ ગઢવીએ જે રજુઆત કરેલ છે તેમાં જણાવ્યુ છે કે, મોરબીથી રાજકોટ સુધીનો નવો રોડ બનેલ છે તે રોડ ઉપર ખાડા પડી ગયેલ છે. અને ખાસ કરીને ટંકારા સુધીનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં છે. જેને રીપેર કરવાની રજૂઆત કરવામાં આવે છે પણ કામ થતું નથી અને અવાર નવાર નાના મોટા અકસ્માત થાય છે. જેથી કરીને આ ખાડામાં પેવર બ્લોક નાંખી ખાડા બુરેલ છે. પરંતુ બાઇક સ્લીપ થવાનો ભય રહે છે જો માર્ગ-મકાન વિભાગ દ્વારા વહેલી તકે મરામત કે રીપેરીંગ ન હી કરવામાં આવે તો જીવલેણ અકસ્માત થાય તેવી શક્યતા છે અને તાજેતરમાં રાજય સરકારે ચોમાસામાં દર વર્ષે ધોવાણ થતાં ૨૦ રસ્તાને આરસીસી કરવા માટે નિર્ણય કરેલ છે તેમાં મોરબી-ટંકારા રોડને આરસીસી કરવાની મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવેલ છે.






Latest News