ટંકારાના લજાઈ પાસે ઓઇલના ગોડાઉનમાં એસએમસીની રેડ: બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ પેકિંગ ભરતાઓની ચર્ચા
મોરબીના જુના ખારચીયાથી રાજપર (કું.) જવાના બિસ્માર રસ્તો ડામરથી ક્યારે મઢાશે ?
SHARE








મોરબીના જુના ખારચીયાથી રાજપર (કું.) જવાના બિસ્માર રસ્તો ડામરથી ક્યારે મઢાશે ?
મોરબીના જુના ખારચિયા ગામથી રાજપર (કું) જવાનો રોડ છેલા ઘણા સમયથી બિસ્માર હાલતમાં હોય આ રોડને ડામર રોડ બનાવવાની માંગ સાથે કોંગ્રેસ અગ્રણી સુરપાલસિંહ જાડેજાએ રજૂઆત કરેલ છે.માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરને લેખિત રજૂઆત કરીને તેઓએ જણાવ્યું છે કે, જુના ખારચિયા ગામથી રાજપર (કું) સુધીનો રોડ અતિ બિસ્માર છે, ચોમાસા બાદ રોડ પર ચાલી ન શકાય તેવી સ્થિતિ છે.તેમજ અકસ્માતો પણ સર્જાય છે.તેથી રોડને તાત્કાલિક રીપેરીંગ કરવાની જરૂરિયાત હોય રીપેરીંગ કરવા અને રોડને ડામર રોડ બનાવવા માંગ કરવામાં આવેલ છે.

