મોરબી મનપાએ કટ કરાવેલ વ્રજ વાટિકા બિલ્ડિંગનું વિજ કનેક્શન હાઇકોર્ટના આદેશથી જોડી દેવાયું મોરબી જિલ્લા પોલીસ દ્વારા આયોજિત સ્પર્ધાના વિજેતાઓને એસપીના હસ્તે ઇનામ વિતરણ કરાયું મોરબીની સાર્થક વિદ્યામંદિર-સરસ્વતી શિશુ મંદિર શાળાને મળ્યું સંસ્કૃત સન્માન મોરબી ભારત વિકાસ પરિષદ અને IMA દ્વારા ગર્ભ સંસ્કાર સેમિનાર યોજાયો માળીયા (મીં)ના વર્ષામેડી ફાટકથી બોડકી જવાના રસ્તા જામગરી બંદુક સાથે એક શખ્સ પકડાયો ટંકારાના અપહરણ-પોક્સોના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીમાં સ્વ.મધુવન ભગવાનજીભાઈ મકવાણાના સ્મરણાર્થે સ્કૂલ કીટનું વિતરણ: ​​​​​​​મોટીબરારની પ્રાથમિક અને માધ્યમિક શાળામાં પ્રવેશોત્સવ યોજાયો મોરબી જિલ્લાના સજનપર, હડમતીયા, રોટરીગ્રામ, અમરનગર, શક્તિનગર, રવાપર નદી, ભક્તિનગર, ત્રાજપર, ભડિયાદ ગામે શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો
Breaking news
Morbi Today

મોરબીના શંકર આશ્રમના જીર્ણોધ્ધાર અર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન


SHARE















મોરબીના શંકર આશ્રમના જીર્ણોધ્ધાર અર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન

સંસ્કૃત વિદ્યા વાયસ્પતી, વ્યાકરણ શાસ્ત્રી મહા મહોપાધ્યાય પુ. શ્રી શંકરલાલ શાસ્ત્રીની કાયમી સ્મૃતિ જાળવવા માટે મોરબી મહારાજા સાહેબશ્રી લખધીરસિંહજી સાહેબે ૯૦૦૦ ચોરસ ફૂટ જમીન પર શંકર આશ્રમનું બાંધકામ કરી વર્ષ ૧૯૨૮ માં ટ્રસ્ટને અર્પણ કર્યું હતું જેના જીર્ણોધ્ધાર અર્થે આગામી તા.૩-૧૧ થી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

શ્રી શંકર આશ્રમ ટ્રસ્ટ મોરબી દ્વારા તા.૩-૧૧ થી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું છે જેની પુર્ણાહુતી તા.૯-૧૧ ના રોજ થશે દરરોજ કથાનો સમય બપોરે ૩ થી ૭ સુધીનો રહેશે જેમાં શાસ્ત્રીજી નિખીલભાઈ જોષી (રાધેકૃષ્ણ) ના શ્રીમુખે ભાગવત કથાનું રસપાન કરાવશે તા. ૦૩ ના રોજ પોથીયાત્રા યોજાશે તેમજ કથા દરમિયાન તા.૬ ના રોજ શ્રી કૃષ્ણ પ્રાગટ્ય, તા.૭ ના રોજ ગોવર્ધન લીલા, તા.૮ ના રોજ શ્રી રુક્ષ્મણી વિવાહ ને તા.૯ ના રોજ મહાપ્રસાદ યોજાશે.






Latest News