મોરબીના શંકર આશ્રમના જીર્ણોધ્ધાર અર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન મોરબી : આયુષ હોસ્પિટલના ન્યુરો સર્જન દ્વારા જટિલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી  સૌરાષ્ટ્રની નં ૦૧ રીયલ ક્રિકેટ એકેડમીમાં દિવાળી નિમિતે બાળકો માટે સ્પેશ્યલ ઓફર મોરબીના જુના ખારચીયાથી રાજપર (કું.) જવાના બિસ્માર રસ્તો ડામરથી ક્યારે મઢાશે ? ટંકારાના લજાઈ પાસે ઓઇલના ગોડાઉનમાં એસએમસીની રેડ: બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ પેકિંગ ભરતાઓની ચર્ચા મોરબી : ટંકારાના ગજડી ગામના રમેશભાઈ જારીયાની રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળમાં ઉપપ્રમુખ તરીકે વરણી મોરબીની નવયુગ સાયન્સ કોલેજ દ્વારા ફૂડ સ્પેશિયાલિટી  ઓફ ગુજરાતનું આયોજન  કરવામાં આવ્યું મોરબી જિલ્લામાં ખેડૂતને થયેલ નુકશાન સામે સરકારે હજુ રાતીપાઈ આપી નથી, વહેલી તકે વળતર આપવા કોંગ્રેસની માંગ
Breaking news
Morbi Today

મોરબીના શંકર આશ્રમના જીર્ણોધ્ધાર અર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન


SHARE











મોરબીના શંકર આશ્રમના જીર્ણોધ્ધાર અર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન

સંસ્કૃત વિદ્યા વાયસ્પતી, વ્યાકરણ શાસ્ત્રી મહા મહોપાધ્યાય પુ. શ્રી શંકરલાલ શાસ્ત્રીની કાયમી સ્મૃતિ જાળવવા માટે મોરબી મહારાજા સાહેબશ્રી લખધીરસિંહજી સાહેબે ૯૦૦૦ ચોરસ ફૂટ જમીન પર શંકર આશ્રમનું બાંધકામ કરી વર્ષ ૧૯૨૮ માં ટ્રસ્ટને અર્પણ કર્યું હતું જેના જીર્ણોધ્ધાર અર્થે આગામી તા.૩-૧૧ થી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

શ્રી શંકર આશ્રમ ટ્રસ્ટ મોરબી દ્વારા તા.૩-૧૧ થી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું છે જેની પુર્ણાહુતી તા.૯-૧૧ ના રોજ થશે દરરોજ કથાનો સમય બપોરે ૩ થી ૭ સુધીનો રહેશે જેમાં શાસ્ત્રીજી નિખીલભાઈ જોષી (રાધેકૃષ્ણ) ના શ્રીમુખે ભાગવત કથાનું રસપાન કરાવશે તા. ૦૩ ના રોજ પોથીયાત્રા યોજાશે તેમજ કથા દરમિયાન તા.૬ ના રોજ શ્રી કૃષ્ણ પ્રાગટ્ય, તા.૭ ના રોજ ગોવર્ધન લીલા, તા.૮ ના રોજ શ્રી રુક્ષ્મણી વિવાહ ને તા.૯ ના રોજ મહાપ્રસાદ યોજાશે.




Latest News