મોરબીની શ્રદ્ધા પાર્ક સોસાયટીમાં ઘર પાસેથી 28 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો
મોરબીની જવાહર સોસાયટીમાં રહેતી મહિલાએ ઘરમાં જ અણધાર્યું પગલું ભર્યું
SHARE








મોરબીની જવાહર સોસાયટીમાં રહેતી મહિલાએ ઘરમાં જ અણધાર્યું પગલું ભર્યું
મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ જવાહર સોસાયટીમાં રહેતી મહિલાએ પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે મહિલાનું મોત નિપજ્યું હોય તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ જવાહર સોસાયટીમાં રહેતા સરસ્વતીબેન નરેશભાઈ મકવાણા (40) નામની મહિલાએ પોતે પોતાના ઘરની અંદર હતી ત્યારે ત્યાં ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે મહિલાનું મોત નિપજ્યુ હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ વી.કે. ચાવડા ચલાવી રહ્યા છે અને મૃતક મહિલાએ કયા કારણોસર આ પગલું ભર્યું છે તે દિશામાં આગળની તપાસ ચાલી રહી છે

