મોરબી જિલ્લા પોલીસ દ્વારા આયોજિત સ્પર્ધાના વિજેતાઓને એસપીના હસ્તે ઇનામ વિતરણ કરાયું મોરબીની સાર્થક વિદ્યામંદિર-સરસ્વતી શિશુ મંદિર શાળાને મળ્યું સંસ્કૃત સન્માન મોરબી ભારત વિકાસ પરિષદ અને IMA દ્વારા ગર્ભ સંસ્કાર સેમિનાર યોજાયો માળીયા (મીં)ના વર્ષામેડી ફાટકથી બોડકી જવાના રસ્તા જામગરી બંદુક સાથે એક શખ્સ પકડાયો ટંકારાના અપહરણ-પોક્સોના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીમાં સ્વ.મધુવન ભગવાનજીભાઈ મકવાણાના સ્મરણાર્થે સ્કૂલ કીટનું વિતરણ: ​​​​​​​મોટીબરારની પ્રાથમિક અને માધ્યમિક શાળામાં પ્રવેશોત્સવ યોજાયો મોરબી જિલ્લાના સજનપર, હડમતીયા, રોટરીગ્રામ, અમરનગર, શક્તિનગરમ રવાપર નદી, ભક્તિનાગર, ત્રાજપર, ભડિયાદ ગામે શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો વાંકાનેરના હોલમઢ ગામે આવેલ પેટા આરોગ્ય કેન્દ્રનું NQAS ટીમ દ્વારા ચેકીંગ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં શ્રમિક-ભાડુઆતની માહિતી ન આપતા વધુ પાંચ સામે કાર્યવાહી


SHARE















મોરબી જીલ્લામાં શ્રમિક-ભાડુઆતની માહિતી ન આપતા વધુ પાંચ સામે કાર્યવાહી

મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં આવેલા કારખાનામાં કામ કરતાં બહારના શ્રમિકો તેમજ બહારના લોકોને ભાડે આપેલા મકાનની માહિતી પોલીસને ન આપવામાં આવી હોવાથી ગુના નોંધવામાં આવે છે તેવામાં વધુ ત્રણ કારખાનેદાર અને બે મકાન માલિક સામે ગુના નોંધીને પોલીસે કાર્યવાહી કરેલ છે.

મોરબીના સનાળા ગામ પાસે માધવ હોટલ નજીક આવેલ મકાનમાં બહારના શ્રમિકો રહેતા હોય તેની માહિતી પોલીસને આપેલ ન હતી જેથી દિલીપભાઈ દેવરાજભાઈ ખાંભલા (42) રહે. રાજપર રોડ પટેલ સમાજ વાડી સામે રબારીવાસ સનાળા વાળા સામે ગુનો નોંધાયો છે આવી જ રીતે સનાળા ગામ પાસે આવેલ દક્ષ પ્રજાપતિ કારખાનામાં બહારના શ્રમિકો કામે રાખેલ હોય તેની માહિતી પોલીસ સ્ટેશનમાં આપી ન હતી જેથી રાજેશભાઈ રતિભાઈ નારણીયા (50) રહે. માણેક સોસાયટી મોરબી વાળા સામે ગુનો નોંધાયો છે જ્યારે સનાળા નજીક આવેલ પટેલ નગર ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં જીવન બેવરેજિસ નામના કારખાનામાં બહારના શ્રમિકો કામ કરતા હોય તેની માહિતી પોલીસને આપી ન હતી જેથી જીતેન્દ્રભાઈ મનહરલાલ ભટ્ટ (63) રહે. બુઢા બાવાવાળી શેરી ભવાની ચોક મોરબી વાળા સામે ગુનો નોંધાયો છે મોરબીના રાજપર રોડ ઉપર આવેલ ધવલ ઓઇલ મીલ નામના કારખાનામાં બહારના શ્રમિકો કામ કરતા હોય તેની જાણ પોલીસને આપી ન હતી જેથી સમીરભાઈ દ્વારકાદાસ ચતવાણી (46) રહે. સોમનાથ સોસાયટી સરદાર બાગ પાછળ શ્રીજી એપાર્ટમેન્ટ સામે મોરબી વાળા સામે ગુનો નોંધાયો છે વાંકાનેરમાં નાગાબાવાની જગ્યા સામેના ભાગમાં આવેલ દિગ્વિજયનગરમાં મકાન ભાડે આપ્યું હતું અને તેના ભાડુઆતની વિગત પોલીસને આપવામાં આવી ન હતી જેથી ભગવાનગર અમરતગર ગોસ્વામી (68) રહે. કોઠારીયા તાલુકો વાંકાનેર વાળા સામે ગુનો નોંધાયો છે. હળવદ જીઆઇડીસીમાં આવેલ કારખાનામાં કામ કરતા શ્રમિકોની માહિતી મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં અપલોડ કરવામાં આવી ન હતી અને આઈડી પ્રૂફ લેવામાં આવ્યા ન હતા જેથી શંકરભાઈ કાનજીભાઈ પટેલ રહે. ધરતીનગર હળવદ વાળાની સામે ગુનો નોંધાયો છે






Latest News