મોરબી મનપાએ કટ કરાવેલ વ્રજ વાટિકા બિલ્ડિંગનું વિજ કનેક્શન હાઇકોર્ટના આદેશથી જોડી દેવાયું મોરબી જિલ્લા પોલીસ દ્વારા આયોજિત સ્પર્ધાના વિજેતાઓને એસપીના હસ્તે ઇનામ વિતરણ કરાયું મોરબીની સાર્થક વિદ્યામંદિર-સરસ્વતી શિશુ મંદિર શાળાને મળ્યું સંસ્કૃત સન્માન મોરબી ભારત વિકાસ પરિષદ અને IMA દ્વારા ગર્ભ સંસ્કાર સેમિનાર યોજાયો માળીયા (મીં)ના વર્ષામેડી ફાટકથી બોડકી જવાના રસ્તા જામગરી બંદુક સાથે એક શખ્સ પકડાયો ટંકારાના અપહરણ-પોક્સોના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીમાં સ્વ.મધુવન ભગવાનજીભાઈ મકવાણાના સ્મરણાર્થે સ્કૂલ કીટનું વિતરણ: ​​​​​​​મોટીબરારની પ્રાથમિક અને માધ્યમિક શાળામાં પ્રવેશોત્સવ યોજાયો મોરબી જિલ્લાના સજનપર, હડમતીયા, રોટરીગ્રામ, અમરનગર, શક્તિનગર, રવાપર નદી, ભક્તિનગર, ત્રાજપર, ભડિયાદ ગામે શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો
Breaking news
Morbi Today

મોરબી શહેરમાંથી ગંદકી દૂર ન થાય તો ગાંધી  ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી


SHARE















મોરબી શહેરમાંથી ગંદકી દૂર ન થાય તો ગાંધી  ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી

મોરબી શહેરમાં ચોમેર ગંદકી છે ત્યારે આગામી તહેવાર પહેલા ગંદકી દૂર કરવામાં આવે તે જરૂરી છે જેથી કરીને રાજીવગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત રાજ્યના પ્રમુખ દ્વારા આ બાબતે કલેક્ટરને રજૂઆત કરીને શહેરને ગંદકી મુક્ત કરીને સફાઈ જાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જો કામ નહિ કરવામાં આવે તો ગાંધી  ચિંધ્યા માર્ગે આગળ વધવાની ચીમકી ઉચ્ચારી છે.

મોરબીમાં રહેતા રાજીવગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત રાજ્યના પ્રમુખ કાન્તિલાલ ડી. બાવરવાએ હાલમાં કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છેકે, મોરબી પાલિકાને સુપરસીડ કરવામાં આવી તેને ઘણો સમય થયેલ છે. અને સરકાર તરફથી કોર્પોરેશન બનાવીને ચુંટણી આપવાની વાત કરવામાં આવે છે જો કે, ચુંટણી આપવામાં આવી રહી નથી અને લોકોને સુવિધા મળી રહી નથી જેથી વહેલી તકે ચૂંટણી આપવામાં આવે તેવી માંગ કરી છે અને હાલમાં મોરબીમાં સફાઈ નામે મીંડું છે, ઠેરઠેર ગટર ઉભરવાની સમસ્યા છે તેમજ ચોમેર ગંદકી છે અને મલેરિયા, ટાઈફોઈડ, કમળો, ડેન્ગ્યું તેમજ વાઈરલ ઇન્ફેકેશનના દર્દીઓથી સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તો પણ તંત્રના પેટનું પાણી હાલતું નથી. ! 

આ ઉપરાંત શહેરના દરેક રસ્તાઓ ઉપર ઢોરોનો  ત્રાસ અને ગટરની ગંદકીને લઈને મોરબીની જનતા હેરાન છે ત્યારે નર્કાગાર જેવી પરિસ્થિતિમાં જ મોરબીના લોકોને દિવાળી અને બેસતા વર્ષનું ઉજવણી કરશે તેવું હાલમાં લાગી રહ્યું છે ત્યારે શહેરમાં સાફ સફાઈ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને અને વધુમાં તેઓએ કહ્યું છેકે, ધારાસભ્ય છાછવારે સોસીયલ મીડિયામાં કામનો વાતો કરે છે જો કે, કામ નામે મીંડું છે. તેવું લોકો કહી રહ્યા છે. અને સરકારનો પગાર મેળવતા જવાબદાર અધિકારીઓ પોતાની ફરજ સમજીને લોકોના પ્રાથમિક સમસ્યાના પ્રશ્નોને વહેલી તકે ઉકેલે તે અનિવાર્ય છે નહીં તો ના છૂટકે  જાહેર જનતાને સાથે રાખીને ગાંધી  ચિંધ્યા માર્ગે આગળ વધવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે.






Latest News