મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં ઘરમાંથી 1104 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના શનાળા રોડે રહેતા યુવાને મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત હાજરી કૌભાંડ: મોરબી મહાપાલિકામાં કામ ન કરતાં રોજમદાર કર્મચારીઓની ભરાઈ જતી ઓનલાઈન હાજરી !, 13 સામે ગુનો નોંધાયો મોરબીમાં રૂપિયા આપવાની ના કહેતા આધેડ અને તેના ભત્રીજા ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના રાધન આશ્રમ-આમરણ રામજી મંદિર ખાતે અન્નકૂટ દર્શન-મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા


SHARE













મોરબીના રાધન આશ્રમ-આમરણ રામજી મંદિર ખાતે અન્નકૂટ દર્શન-મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા

મોરબીના આમરણ ગામે આજે નૂતન વર્ષ પર્વ પ્રસંગે રામજી મંદિર ખાતે અન્નકૂટ દર્શન ,મહાઆરતી, સહિતના ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.આ નૂતન વર્ષ પર્વ પ્રસંગે મહાઆરતી અને અન્નકુટ દર્શન,સહિતના વિવિધ ધાર્મિક કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું અને મહા આરતી રામજી મંદિરના પૂજારી મુકેશભાઈ રામાનંદી સાધુ તથા જુગતરામ રામાનંદી સાધુ  તેમજ તમામ ગ્રામજનોના સહયોગ દ્વારા કરવામાં આવી હતી. આ અન્નકુટ ભોગના દર્શન કરવા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આવી જ રીતે મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ રામધન આશ્રમ ખાતે મહંત ભાવેશ્વરીબેન અને રતનબેન દ્વારા ૫૬ ભોગ અન્નકુટ રાખવામાં આવ્યો હતો જેમાં જુદી જુદી ભાજીના શાક સંભાર ફળ, ફરસાણ,મિઠાઇ અને પ્રસાદ ધરવામાં આવ્યો હતો.બહોળી સંખ્યામાં ભકતજનોએ અન્નકુટ દર્શનનો લાભ લીધો હતો, અને ભકતજનો માટે પ્રસાદ ની વ્યવસ્થા રાખવામાં આવી હતી. અને ભાઈ બીજ નિમિત્તે મર્યાદિત સંખ્યામાં આશ્રમ ખાતે નેજા ઉત્સવ, પૂજન, મહાઆરતી, અને મહાપ્રસાદ, સંતવાણી સહિતના વિવિધ કાર્યકમ રાખવામાં આવ્યા છે. જેને સફળ બનાવવા મહંત ભાવેશ્વરીબેન, રતનબેન, મુકેશ ભગત અને દિલીપ મહારાજ સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે. 






Latest News