મોરબીના રંગપર અને માણેકવાડા ગામે સરકારી શાળામાં પ્રવેશોત્સવ યોજાયો મોરબી એલસીબી દ્વારા દારૂના અનેક ગુનાઓમાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ વડોદરા જેલ હવાલે કરાયો મોરબીના નીચી માંડલ ગામે રહેતી યુવતી ગુમ મોરબીમાં ડીવાયએસપીના નામે યુવાનને ડરાવી-ધમકાવીને 30 હજાર રૂપિયા પડાવવાના ગુનામાં ત્રણ શખ્સ સામે કાર્યવાહી મોરબીમાં ઘર સામે ન બેસવા બાબતે ઠપકો આપતા છરી, તલવાર, ધારિયા વડે થયેલ હુમલાના ગુનામાં પાંચ આરોપીની ધરપકડ મોરબીમાં સાળા-સસરા વચ્ચે ચાલતા જમીન માટેના ઝઘડામાં ભત્રીજાને વચ્ચે ન રાખવાનું કહેતા આધેડ અને તેના ભાઈ ઉપર મહિલાઓ સહિત 23 લોકોનો હુમલો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં જુદીજુદી બે સંસ્થા દ્વારા બાળાઓને શૈક્ષણિક કિટ અપાઈ ટંકારા તાલુકામાં મંદિર ચોરીના ગુન્હામાં ૧૩ વર્ષથી નાસતા ફરતા આરોપી પકડાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ વિદ્યાર્થી ઉત્કર્ષ મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો


SHARE















મોરબીમાં ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ વિદ્યાર્થી ઉત્કર્ષ મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો

મોરબી શ્રી ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ વિદ્યાર્થી ઉત્કર્ષ મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજનાં અગ્રણી કાર્યકર જગદીશભાઈ બાંભણીયા તેમજ દિનેશભાઈ સાંથલીયા, અજયભાઈ વાઘાણીભરતભાઈ સારલા, કલ્પેશભાઈ ગણેશિયા, અવચરભાઈ દેગામાં, મુનાભાઈ રાણેવાડીયા તથા ફોટોગ્રાફર દિપક વાઘાણી વિગેરે સમાજના ભાઈઓએ હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવેલ હતો.

આ પ્રસંગે મોરબીનાં જુનાં કાર્યકર્તા એવા દેવજીભાઈ નાગજીભાઈ ગણેશિયાનું સમગ્ર સમાજવતી શ્રી જ્ઞાતિ રત્ન એવોર્ડ પ્રમાણપત્ર ૨૩/૨૪ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શ્રી જ્ઞાતિ ગૌરવ પ્રમાણપત્ર ૨૩/૨૪ આપીને ધનજીભાઈ જી. સંખેશટિયા, ભાણજીભાઈ ડાભી, તુલસીભાઈ પાટડીયા, તથા જગદીશભાઈ બાંભણીયા અને સમગ્ર દાતાઓને પણ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત સમાજના આગેવાનો પરસોત્તમભાઈ સાબરીયા, નિલેશભાઈ દેગામા, સુરેશભાઈ સીરોહરા ગોપાલભાઈ સાંતલપરાજયંતીભાઈ ઝીંઝુવાડીયા, ઘનશ્યામભાઈ ધામેચા વિગેરે તેમજ બહોળી સંખ્યામાં  સમાજના ભાઈઓ બહેનો  કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતાં તેમજ આર્થિક સાથ અને સહયોગ આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ સમાજનો દરેક બાળક શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધી સમાજ અને પોતાનાં પરિવાર નું ગૌરવ બને એવા આશિષ આપેલ હતાં આ કાર્યક્રમના આયોજક અને સંયોજક જગદીશભાઈ બાંભણીયા અને દિનેશભાઈ સાંથલીયા તેમજ તેની ટિમ હતી.






Latest News