મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં ઘરમાંથી 1104 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના શનાળા રોડે રહેતા યુવાને મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત હાજરી કૌભાંડ: મોરબી મહાપાલિકામાં કામ ન કરતાં રોજમદાર કર્મચારીઓની ભરાઈ જતી ઓનલાઈન હાજરી !, 13 સામે ગુનો નોંધાયો મોરબીમાં રૂપિયા આપવાની ના કહેતા આધેડ અને તેના ભત્રીજા ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી : મંત્રી મેરજાની નવાવર્ષે મુલાકાત કરીને જુના પ્રશ્નનો માટે કરી રજૂઆત


SHARE













મોરબી : મંત્રી મેરજાની નવાવર્ષે મુલાકાત કરીને જુના પ્રશ્નનો માટે કરી રજૂઆત

નુતનવર્ષા અભિવાદન અર્થે મંત્રી શ્રમ અને રોજગાર, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામવિકાસ, પંચાયત ગુજરાત સરકાર ગાંધીનગર  તેમજ આપણાં લોકલાડીલા ધારાસભ્ય બ્રિજેશ મેરજાની સર્કિટ હાઉસ મોરબી ખાતે મુલાકાત લેવામાં આવી હતી.

જેમાં મણિલાલ સરડવા પૂર્વ પ્રમુખ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ, જયેશ ક્લોલા ઉપ પ્રમુખ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ , ભાવેશ કૈલા મહામંત્રી મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સંઘ લાલજીભાઈ કકાસણિયા કોષાધ્યક્ષ મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સંઘ તેમજ ફાલ્ગુન કાલરીયા શિક્ષક અમરાપર હાજર રહ્યા હતા જેમાં નીચે મુજબના પડતર પ્રશ્નોની રજુઆત કરવામાં આવી.

1) નવી પેંશન યોજનાના સ્થાને જૂની પેંશન યોજના શરૂ કરાવવી

2) લાંબા સમયથી મોરબી જિલ્લા ના શિક્ષકોના G.P.F. ખાતા રાજકોટ ખાતે કાર્યરત છે તે મોરબી શરૂ કરવા બાબત અગાઉ કરેલ રજુઆત યાદ કરાવી

બંને બાબત માટે માનનીય મંત્રીએ હકારાત્મક અભિગમ દાખવ્યો છે જેમાં G.P.F. ખાતાની કાર્યવાહી કરી પ્રકરણ હાલ રાજકોટ એ.જી.ઓફીસ સુધી એ પહોંચાડી દીધેલ છે ઝડપથી મોરબી ટ્રાન્સફર થાય તે બાબતની સૂચના આપેલ છે.  આપણા લોક લાડીલા બ્રીજેશ મેરજાનો શિક્ષક પરિવાર મોરબી વતી ખૂબ ખૂબ આભાર.

મોરબી વકીલમિત્રો જોગ 

મોરબી બાર એસોસિયેશન ના તમામ વકીલશ્રીઓને જણાવવાનું કે, સંવત ૨૦૭૮ ના આગમન સાથે તા. ૧૦/૧૧/૨૦૨૧ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે નૂતન વર્ષ નિમિતે સ્નેહ મિલનનું આયોજન કરેલ હોય, દરેક વકીલઓએ સમયસર સવારે ૧૦:૩૦ કલાકે હાજર રહેવા આથી મોરબી બાર એસોસિયેશન ના તમામ હોદ્દેદારો વતી નિમંત્રણ આપવામાં આવે છે.
સ્થળ: બાર રૂમ, ન્યાય મંદિર, મોરબી.
આયોજક:- પ્રમુખ ડી. આર. અગેચણિયા
નિમંત્રક:- સેક્રેટરી એમ. એચ. દવે. તથા તમામ હોદ્દેદારો






Latest News