મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે
Breaking news
Morbi Today

મોરબીના બગથળા ગામે શાળાના પૂર્વ આચાર્યની પ્રતિમાનું શાળાના પટાંગણમાં અનાવરણ કરાયું


SHARE













મોરબીના બગથળા ગામે શાળાના પૂર્વ આચાર્યની પ્રતિમાનું શાળાના પટાંગણમાં અનાવરણ કરાયું

મોરબીના બગથળા ગામે આવેલ સરકારી શાળામાં પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા પૂર્વ આચાર્ય કે જેઓએ અનેક વિદ્યાર્થીઓના જીવનમાં શિક્ષણની જ્યોત પ્રગટાવી હતી તેઓની સ્મૃતિ કાયમ રહે તે માટે શાળાના પટાંગણમાં પૂર્વ આચાર્ય મગનલાલ રાઘવજીભાઈ પંડ્યાની પ્રતિમા બનાવી તેનું અનાવરણ કર્યું હતું તેઓએ વર્ષ 1957 થી 1975 દરમિયાન બગથળા તાલુકાના આચાર્ય તરીકે ફરજ બજાવી હતી. અને બગથળા ગામને શિક્ષિત બનાવવામાં તેઓનો સિંહફાળો હતો. આટલું જ નહીં  તેમણે રાજ્યપાલના હસ્તે આદર્શ શિક્ષકનો એવોર્ડ પણ મળેલ હતો. અને તેઓએ નિવૃત્તિ થયા પછી પણ બગથળા ગામે આવેલ નકલંક મંદિરમાં વયવસ્થાપક તરીકે સારી સેવા આપી હતી જેથી કરીને તેઓની કાયમી સ્મૃતિ રહે તે માટે આ શાળાના પૂર્વ શિક્ષકો તથા ગામ લોકોની પ્રેરણાથી પૂર્વ વિદ્યાર્થી નિવૃત આઈએએસ અધિકારી વેલજીભાઈ કોરવાડીયા તથા ડો.અનિલભાઈ પટેલે દ્વારા પૂર્વ આચાર્યની પ્રતિમા શાળાના પટાંગણમાં મૂકવામાં આવી છે અને તેના અનાવરણનો કાર્યક્રમ યોજાયો હતો.






Latest News