ભરોસો નહીં કે..: મોરબીના SP વારંવાર DYSP ને સોંપેલી તપાસ આંચકી કેમ લે છે !?, પોલીસ બેડા-રાજકીય વર્તુળોમાં ગરમા ગરમ ચર્ચા ગૌરક્ષકો ઉપર હુમલનો મામલો: મોરબીના ખાટકીવાસમાં બનેલ બનાવમાં બંને પક્ષના પાંચ-પાંચ આરોપીને પકડાયા કચ્છ સાંસદ આયોજીત ક્રિકેટ ડે નાઇટ સીઝન-૩ ને વર્લ્ડ રેકોર્ડસ ઇન્ડીયામાં સ્થાન મોરબીના ભરતનગર પાસે ડબલ સવારી બાઇકને ટ્રેલર ચાલકે હડફેટે લેતા એક યુવાનનું મોત, એકને ઇજા મારું વૃક્ષ, મારું ગૌરવ: હળવદના જુના અમરાપર ગામની શાળાનું નવતર અભિયાન મોરબીના ખાનપર ગામે આવેલ શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી જિલ્લા પંચાયત દ્વારા રેલ્વે ભરતી માટેની પરીક્ષાની મોક ટેસ્ટ-૨ યોજાઇ મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં આર્થિક સંકળામણથી કંટાળીને યુવાને ઘરમાં ન કરવાનું કરી નાખ્યું


SHARE















મોરબીમાં આર્થિક સંકળામણથી કંટાળીને યુવાને ઘરમાં ન કરવાનું કરી નાખ્યું

મોરબીના કાલિકા પ્લોટ શેરી નં-3 માં રહેતા યુવાને આર્થિક સંકળામણથી કંટાળીને પોતે પોતાના ઘરની અંદર પંખા સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતકના પરિવરજન દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના કાલિકા પ્લોટ શેરી નં-3 માં રહેતા પ્રદિપસિંહ ચંદુભા રાઠોડ (27) નામના યુવાને પોતે પોતાના ઘરની અંદર રૂમમાં પંખા સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મૃતકના પરિવરજન નરેન્દ્રસિંહ ધીરુભા રાઠોડ (39) રહે. બગથળા મોરબી વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને પ્રાથમિક તપાસમાં મૃતકે આર્થિક સંકળામણના કારણે અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે જે અંગેની પોલીસ નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે

પતિએ માર માર્યો

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા આરતીબેન અજયભાઈ હમીરપરા (19) નામની મહિલાને તેના પતિએ માર માર્યો હતો જેથી કરીને ગળા અને હાથના ભાગે ઇજા થયેલ હોવાથી મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

યુવાન સારવારમાં

મોરબી નજીકના સનાળા ગામ પાસે નવી બની રહેલ મેડિકલ કોલેજ પાસે ઝૂંપડામાં રહેતા અજયભાઈ નાથાભાઈ વાઘેલા (35) નામનો યુવાન મેડિકલ કોલેજ પાસેથી રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે અજાણી કારના ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં તેને ઈજા થયેલ હતી જેથી કરીને યુવાનને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા અને તેણે સારવાર આપીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News