મોરબીના કવી જુગતરામ વ્યાસ રચિત જુગત કાવ્ય ઝરણી ના વિમોચનનો કાર્યક્રમ યોજાયા
SHARE









મોરબીના કવી જુગતરામ વ્યાસ રચિત જુગત કાવ્ય ઝરણી ના વિમોચનનો કાર્યક્રમ યોજાયા
મોરબીના કવિ જુગતરામભાઈ વ્યાસના પુસ્તક "જુગત કાવ્ય ઝરણી"ના વિમોચનનો કાર્યક્રમ રામધન આશ્રમ મહેન્દ્રનગર ખાતે યોજાયેલ.આ પ્રસંગે વકતા શૈલેષભાઈ સગપરિયા, દામજી ભગત (નકલંકધામ-બગથળા), જગદીશબાપુ (કથાકાર-શિવપુર) ભાવેશ્વરી માતાજી (રામધન આશ્રમ), ડૉ.સતિષભાઈ પટેલ, કિરીટદાન ગઢવી, ડૉ.જયેશ પટેલ, પ્રભુદાન સુરૂ, દિપુદાન ગઢવી, કે.એસ.અમૃતિયા, પી.ડી.કાંજીયા, મનહરલાલ પૈજા અને ડૉ.ભાવેશ જેતપરિયા હાજર રહેલ. કાર્યક્રમને કવિની અપેક્ષા કરતા વધારે સારી રીતે ઉજળો કરી બતાવ્યો એવા મોરબીના જાણીતા બિલ્ડર અને સાહિત્ય પ્રોત્સાહક હંસરાજભાઈ છગનભાઈ ગામી (હંસરાજકાકા-સ્વરાંગન) તેમજ જેમને દિવસરાત જોયા વિના તન, મન અને ધનથી આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો તેમનો કવી પરિવારે આભાર માન્યો હતો.પુસ્તક વિમોચન બાદ કવિ જુગતરામભાઈ વ્યાસના પુસ્તક "જુગત કાવ્ય ઝરણી"ની કલમે લખાયેલ નાટક "રાંક નું રતન" ભજવાયેલ જેમાં ચારણ કવિનું મુખ્ય પાત્ર ડૉ.શિવધનભાઈએ ભજવેલ. સમગ્ર કાર્યક્રમના દાતા હંસરાજભાઇ અને ગામી પરિવારનો કવીના પૌત્ર હાસ્ય કલાકાર દેવેન વ્યાસે આભાર વ્યક્ત કર્યો હતો.
