મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના કવી જુગતરામ વ્યાસ રચિત જુગત કાવ્ય ઝરણી ના વિમોચનનો કાર્યક્રમ યોજાયા


SHARE













મોરબીના કવી જુગતરામ વ્યાસ રચિત જુગત કાવ્ય ઝરણી ના વિમોચનનો કાર્યક્રમ યોજાયા

મોરબીના કવિ જુગતરામભાઈ વ્યાસના પુસ્તક "જુગત કાવ્ય ઝરણી"ના વિમોચનનો કાર્યક્રમ રામધન આશ્રમ મહેન્દ્રનગર ખાતે યોજાયેલ.આ પ્રસંગે વકતા શૈલેષભાઈ સગપરિયા, દામજી ભગત (નકલંકધામ-બગથળા), જગદીશબાપુ (કથાકાર-શિવપુર) ભાવેશ્વરી માતાજી (રામધન આશ્રમ), ડૉ.સતિષભાઈ પટેલ, કિરીટદાન ગઢવી, ડૉ.જયેશ પટેલ, પ્રભુદાન સુરૂ, દિપુદાન ગઢવી, કે.એસ.અમૃતિયા, પી.ડી.કાંજીયા, મનહરલાલ પૈજા અને ડૉ.ભાવેશ જેતપરિયા હાજર રહેલ. કાર્યક્રમને કવિની અપેક્ષા કરતા વધારે સારી રીતે ઉજળો કરી બતાવ્યો એવા મોરબીના જાણીતા બિલ્ડર અને સાહિત્ય પ્રોત્સાહક હંસરાજભાઈ છગનભાઈ ગામી (હંસરાજકાકા-સ્વરાંગન) તેમજ જેમને દિવસરાત જોયા વિના તન, મન અને ધનથી આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો તેમનો કવી પરિવારે આભાર માન્યો હતો.પુસ્તક વિમોચન બાદ કવિ જુગતરામભાઈ વ્યાસના પુસ્તક "જુગત કાવ્ય ઝરણી"ની કલમે લખાયેલ નાટક "રાંક નું રતન" ભજવાયેલ જેમાં ચારણ કવિનું મુખ્ય પાત્ર ડૉ.શિવધનભાઈએ ભજવેલ. સમગ્ર કાર્યક્રમના દાતા હંસરાજભાઇ અને ગામી પરિવારનો કવીના પૌત્ર હાસ્ય કલાકાર દેવેન વ્યાસે આભાર વ્યક્ત કર્યો હતો.




Latest News