મોરબીના કવી જુગતરામ વ્યાસ રચિત જુગત કાવ્ય ઝરણી ના વિમોચનનો કાર્યક્રમ યોજાયા
માળીયા (મી) તાલુકા ભાજપ પરિવારનો પંચાયત મંત્રીની હાજરીમાં સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
SHARE









માળીયા (મી) તાલુકા ભાજપ પરિવારનો પંચાયત મંત્રીની હાજરીમાં સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
માળીયા (મી) તાલુકા ભાજપ પરિવારનો પંચાયત મંત્રીની હાજરીમાં સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોરબી માળીયાના ધારાસભ્ય અને પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે, કોઇપણ સંગઠનનું મુખ્ય બળ તેના કાર્યકરો છે સદ્નસીબે માળીયા ( મી ) તાલુકામાં ભાજપના કસાયેલા અને પાયાના કાર્યકર્તાઓની મોટી ફોજ છે જેના થકી તાલુકામાં સંગઠન ખૂબ બળવતર બન્યું છે આવનારા દિવસોમાં પણ ભાજપનું આ સંગઠન પેઇઝ સુધી વિસ્તરે અને પેઇઝ સમિતિ બને તેવો સૌને અનુરોધ કર્યો હતો માળીયા તાલુકાના સિંચાઇ, રસ્તાઓ સહિતના જે કોઇ પ્રશ્નો હશે તેને ઉકેલવા આપણે સૌ એક ટીમ બનીને કાર્યરત રહીએ અને તાલુકાની પ્રજાની સેવા કરતાં રહીએ આ તકે જિલ્લા ભાજપા પ્રમુખશ્રી દુર્લભજીભાઇ દેથરીયાએ સંગઠન અંગે પ્રકાશ ફેંકયો હતો સહકારી અગ્રણી મગનભાઇ વડાવીયાએ આગામી દિવસોમાં માળીયા (મી) તાલુકા માટે વિકાસની ઉજળી તક રહી છે ત્યારે સૌએ સાથે મળી તાલુકાને વેગવંતો બનાવવા કાર્યરત બનીશું મોરબી જિલ્લા ભાજપા મહામંત્રીશ્રી રણછોડભાઇ દલવાડી, જેસંગભાઇ હુંબલ અને જયેન્દ્રસિંહજી જાડેજા, માળીયા (મી) તાલુકા ભાજપા મહામંત્રી મનીષભાઇ કાંજીયા, અરજણભાઇ હુંબલ સહિત બહોળી સંખ્યામાં શક્તિ કેન્દ્રોના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા આ સમગ્ર કાર્યક્રમના મુખ્ય આયોજક એવા તાલુકા પ્રભારી સુભાષભાઇ પડસુંબીયાએ સંગઠન અંગે વિસદ્ છણાવટ કરી હતી અને સૌના સહકારથી આપણે નવા પડકારો જીલી માળીયા (મી) તાલુકાના વિકાસ માટે કાર્યરત રહીએ એવી લાગણી વ્યકત કરી હતી આ કાર્યક્રમનું સફળ સંચાલન લક્ષ્મીવાસના સરપંચ જયદીપભાઇ સંઘાણીએ કર્યું હતું
