હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

માળીયા (મી) તાલુકા ભાજપ પરિવારનો પંચાયત મંત્રીની હાજરીમાં સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો


SHARE

















માળીયા (મી) તાલુકા ભાજપ પરિવારનો પંચાયત મંત્રીની હાજરીમાં સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

માળીયા (મી) તાલુકા ભાજપ પરિવારનો પંચાયત મંત્રીની હાજરીમાં સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોરબી માળીયાના ધારાસભ્ય અને પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કેકોઇપણ સંગઠનનું મુખ્ય બળ તેના કાર્યકરો છે સદ્નસીબે માળીયા ( મી ) તાલુકામાં ભાજપના કસાયેલા અને પાયાના કાર્યકર્તાઓની મોટી ફોજ છે જેના થકી તાલુકામાં સંગઠન ખૂબ બળવતર બન્યું છે આવનારા દિવસોમાં પણ ભાજપનું આ સંગઠન પેઇઝ સુધી વિસ્તરે અને પેઇઝ સમિતિ બને તેવો સૌને અનુરોધ કર્યો હતો માળીયા તાલુકાના સિંચાઇરસ્તાઓ સહિતના જે કોઇ પ્રશ્નો હશે તેને ઉકેલવા આપણે સૌ એક ટીમ બનીને કાર્યરત રહીએ અને તાલુકાની પ્રજાની સેવા કરતાં રહીએ આ તકે જિલ્લા ભાજપા પ્રમુખશ્રી દુર્લભજીભાઇ દેથરીયાએ સંગઠન અંગે પ્રકાશ ફેંકયો હતો સહકારી અગ્રણી મગનભાઇ વડાવીયાએ આગામી દિવસોમાં માળીયા (મી) તાલુકા માટે વિકાસની ઉજળી તક રહી છે ત્યારે સૌએ સાથે મળી તાલુકાને વેગવંતો બનાવવા કાર્યરત બનીશું મોરબી જિલ્લા ભાજપા મહામંત્રીશ્રી રણછોડભાઇ દલવાડીજેસંગભાઇ હુંબલ અને જયેન્દ્રસિંહજી જાડેજામાળીયા (મી) તાલુકા ભાજપા મહામંત્રી મનીષભાઇ કાંજીયા, અરજણભાઇ હુંબલ સહિત બહોળી સંખ્યામાં શક્તિ કેન્દ્રોના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા આ સમગ્ર કાર્યક્રમના મુખ્ય આયોજક એવા તાલુકા પ્રભારી સુભાષભાઇ પડસુંબીયાએ સંગઠન અંગે વિસદ્ છણાવટ કરી હતી અને સૌના સહકારથી આપણે નવા પડકારો જીલી માળીયા (મી) તાલુકાના વિકાસ માટે કાર્યરત રહીએ એવી લાગણી વ્યકત કરી હતી આ કાર્યક્રમનું સફળ સંચાલન લક્ષ્મીવાસના સરપંચ જયદીપભાઇ સંઘાણીએ કર્યું હતું




Latest News