મોરબી અને વાંકાનેરમાં અપમૃત્યુના ત્રણ બનાવ: પરણીતા, આધેડ અને વૃદ્ધનું મોત મોરબીના બાયપાસ રોડ ઉપર રહેણાંક મકાનમાંથી દારૂની 72 બોટલ ઝડપાઈ, આરોપીની શોધખોળ મોરબીના લાલપર ગામે હોટલે સમાધાન કરવા આવેલા ચાર શખ્સોએ હોટલના માલિક સહિત બે વ્યક્તિઓને પાઇપ વડે મારમાર્યો મોરબીના ગાળા અને બહાદુરગઢ ગામના પાટીયા પાસે જુદા જુદા વાહનોમાંથી કુલ મળીને 970 લીટર ડીઝલની ચોરી મોરબીમાં સોલાર ફીટ કરવાનું કહીને વૃદ્ધ સાથે ઠગાઈ: એ ડિવિઝનમાં ગુનો નોંધાયો ટંકારાના સજનપર ગામે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રજૂ કર્યો અદ્ભુત સાંસ્કૃતિક કાર્યક્રમ, વાલીઓએ સહિતના ગ્રામજનો મંત્રમુગ્ધ મોરબીમાં હિન્દુ સમ્મેલન, સામાજિક-ધાર્મિક પ્રસંગોમાં સ્ટીલની થાળી, વાટકા અને ગ્લાસનો જ ઉપયોગ કરવા સંકલ્પ વર્લ્ડ ટુર પર નિકળેલા જર્મનીના કાર્લ મોરબી જલારામ ધામના મહેમાન બન્યા
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક ટ્રેન આડે પડતું મૂકીને અજાણ્યા યુવાને કર્યો આપઘાત: ટ્રેનમાંથી પડી જતાં અજાણ્યા આધેડનું મોત


SHARE











વાંકાનેર નજીક ટ્રેન આડે પડતું મૂકીને અજાણ્યા યુવાને કર્યો આપઘાત: ટ્રેનમાંથી પડી જતાં અજાણ્યા આધેડનું મોત

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં ટ્રેન અકસ્માતની બે ઘટના બની હતી જેમાં એક 35 વર્ષના અજાણ્યા યુવાને ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત કર્યો હતો અને બીજા બનાવમાં ચાલુ ટ્રેનમાંથી પડી જતા 55 વર્ષના આધેડનું મોત નીપજયું છે. આ બંને બનાવની રેલ્વે પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

વાંકાનેર રેલ્વે પોલીસ પાસેથી મળી રહેલા માહિતી મુજબ સોમવારે ભાવનગર ઓખા લોકલ ટ્રેન લુણસરીયા તથા વાંકાનેર રેલ્વે સ્ટેશન વચ્ચેથી પસાર થઈ રહી હતી ત્યારે એક અજાણ્યો 35 વર્ષનો યુવાને ટ્રેન આડે પડતું મૂક્યું હતું જેથી કરીને તે યુવાનને ગંભરી ઇજા થવાથી તેનું મોત નીપજયું હતું અને આ યુવાને જમણા હાથની કલાઈ પર વીંછીનું ચિત્ર ત્રોફાવેલ છે જેથી મૃતક યુવાનને કોઈ ઓળખાતા હોય તો તેઓએ વાંકાનેર રેલ્વે પોલીસના ધર્મેન્દ્રસિંહ જાડેજાનો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.

આવી જ રીતે બીજી ઘટનામાં દલડી અને લુણસરીયા રેલ્વે સ્ટેશન વચ્ચે જામનગરથી વડોદરા ઇન્ટરસીટી ટ્રેન જતી હતી ત્યારે તે ચાલુ ટ્રેનમાંથી અજાણ્યા 55 વર્ષના આધેડ પડી ગયા હતા જેથી કરીને તેમને માથા અને શરીરે ગંભીર ઈજા થવાથી તે આધેડનું મોત નીપજયું હતું અને મૃતક આધેડના નાકની ડાબી બાજુ મશાનું નિશાન છે જેથી આ મૃતક આધેડને ઓળખતા હોય તેમણે વાંકાનેર રેલ્વે પોલીસમાં ફરજ બજાવતા ખોડાભાઈ મકવાણાનો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.






Latest News