ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબીમાં તાણ આંચકી ઉપડયા બાદ યુવાનનું મોત


SHARE







મોરબીમાં તાણ આંચકી ઉપડયા બાદ યુવાનનું મોત

મોરબીના સામાકાંઠે જેતપર રોડ ઉપર રંગપર ગામની પાસે આવેલ સિરામિક યુનિટમાં રહીને મજૂરીકામ કરતાં મજુર યુવાનને તાણ-આંચકી ઉપડયા બાદ તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ શહેરના સામાકાંઠે જેતપર રોડ ઉપર આવેલા રંગપર ગામ પાસેના વી-સેવન સીરામીક નામના યુનિટમાં રહીને મજૂરીકામ કરતાં સનાતનભાઈ માધવભાઈ લુહાર નામના ૪૦ વર્ષીય મજુર યુવાનને તાણ-આંચકી ઉપડી હતી જે દરમિયાન તેનું ગઇકાલ તા.૮ ના મોડી રાત્રીના બારેક વાગ્યાના અરસામાં મોત નિપજ્યુ હતું.જેથી બનાવ સંદર્ભે બીટ જમાદાર એ.એમ.ઝાપડિયાએ આગળની તપાસ હાથ ધરી છે.

ઝેરી દવા પી લેતા સારવારમાં

સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકાના સોનગઢ ગામે રહેતા રાયધનભાઈ સવજીભાઈ રંગપરા નામનો યુવાન કોઇ કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જ્યારે થાનગઢના જ વર્ષાધાર વિસ્તારમાં રહેતો રામજીભાઈ રમેશભાઈ બાવળીયા નામના ૧૭ વર્ષીય યુવાને પણ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં તેને પણ સારવાર માટે અહીંની મંગલમ હોસ્પિટલે ખસેડાયો હતો. બંને બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પ્રાથમિક તપાસ કરીને બનાવ સંદર્ભે થાનગઢ પોલીસને જાણ કરી હતી.






Latest News