મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

હળવદ નજીક બાઇકને હડફેટ લઈને ત્રણ પૈકીનાં એક યુવાનનું મોત: ખાનગી બસના ચાલક સામે ગુનો નોંધાયો


SHARE







હળવદ નજીક બાઇકને હડફેટ લઈને ત્રણ પૈકીનાં એક યુવાનનું મોત: ખાનગી બસના ચાલક સામે ગુનો નોંધાયો

હળવદના શક્તિનગર નજીક ખાનગી બસના ચાલકે બાઇકને પાછળથી હડફેટે લેતા ત્રણ યુવાનોને ઇજા થયેલ હતી જેથી કરીને ત્રણ પૈકીનાં એક યુવાનનું મોત નીપજયું છે અને બે યુવાનોને ઇજા થયેલ હોવાથી તેને સારવારમાં લઈને ગયા હતા અને આ બનાવ બાદ રોષે ભરાયેલ લોકોએ ખાનગી બસમાં તોડફોડ કરી હતી. હાલમાં હળવદ પોલીસે ઇજા પામેલ યુવાનની ફરિયાદ લઈને ખાનગી બસના ચાલકની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાનાં સુખપર ગામે રહેતા રવિરાજસિંહ ઘેલાભાઈ લિંબોલા (20)એ હાલમાં ખાનગી બસ નંબર એ.આર. 1 ટી 2365 ના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, હળવદ ધાંગધ્રા હાઈવે રોડ ઉપર આવેલા શક્તિનગર પાસે સુખપર ગામની નદીના પુલ નજીક રોડ ઉપર ફરિયાદીના બાઇક ઉપર તે તથા નિલેષ ઉર્ફે ખેંગાર દાજીભાઈ રાઠોડ (17) અને અનિલ વિહાભાઈ લોદરિયા (18) જઈ રહ્યા હતા ત્યારે પાછળથી તેના બાઇકને ખાનગી બસ નંબર એ.આર. 1 ટી 2365 ના ચાલકે ટક્કર મારી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ત્રણેય યુવાનોને ઇજા થયેલ હતી જેમાં ફરીયાદીને કપાળે ચાર ટાંકા આવ્યા હતા અને હાથે તેમજ પગે મુંઢ ઇજા થયેલ હતી તો સાહેદ અનિલ (18) ને સાથળ, ગુપ્ત ભાગે અને કમરે ગંભીર ઇજા થઈ હતી અને નિલેશભાઇ દાજીભાઇ રાઠોડ (17)ને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી તેનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું અને અકસ્માત બાદ લકઝરી બસનો ચાલક તેની બસ મુકી ભાગી ગયો હતો જેથી કરીને રોષે ભરાયેલા લોકોએ ખાનગી બસમાં તોડફોડ કરી હતી. હાલમાં ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ખાનગી બસના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.






Latest News