મોરબીમાં સિલિકોસિસ પીડિત શ્રમિકોને વળતર અપાવવામાં DISH કચેરીની આડોડાઈ, કેસ દાખલ કરવા ૭ દિવસનું અલ્ટિમેટમ મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૧૭ જુલાઈના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક, જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા. ૨૩ જુલાઈએ મોરબી જિલ્લામાં ૫૩ નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેના હસ્તે નિમણૂક પત્રો એનાયત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતો આંદોલનની અસર, વીજપોલ માટે 6.11 લાખના બદલે હવે 27.02 લાખ અને કોરિડોરના 12.74 લાખના હવે 37.25 લાખ મળશે: કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ૧૬મી જુલાઈ, અષાઢી બીજ નિમિત્તે ભુજના હૃદયસમા હમીરસર તળાવ કાંઠે કચ્છની કળા, સંસ્કૃતિ અને પરંપરાના સુંદર અને અદભુત સમન્વય સાથે યોજાશે સાંસદ કચ્છ કાર્નિવલ-૨૦૨૬ મોરબીના માળીયા મિયાણામાં બાઈક સાથે કાર અથડાવી બે યુવકોને ઢોર માર માર્યો, બંદૂકથી ફાયરિંગ કરતા એકને પગમાં ઈજા વાંકાનેરમાં પૂ.ભાવચંદ્રજી સ્વામી આદિની 16 દિવસની સ્થિરતા : વિવિધ અનુષ્ઠાનો યોજાયા, સાંસદ કેસરીદેવસિંહ જાડેજાએ પૂજ્ય આચાર્ય ગુરુદેવશ્રીને શાલ અર્પણ કરી મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સમાજના ચોથા સ્તંભ સમાન પત્રકારોનું સન્માન
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વાધરવા ગામ પાસે ડમ્પર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાનનું મોત


SHARE









માળીયા (મી)ના વાધરવા ગામ પાસે ડમ્પર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાનનું મોત

માળીયા મીયાણા તાલુકાના વાધરવા ગામ પાસેથી યુવાન પોતાનું બાઈક લઈને જઈ રહ્યો હતો અને રોડ ક્રોસ કરતો હતો ત્યારે ડમ્પરના ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો અને તે અકસ્માતના બનાવમાં યુવાને કપાળ, કાન, હાથ અને શરીરે ગંભીર ઇજા હોવાથી તે યુવાનનું  મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ડમ્પર ચાલાક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત મુજબ વાધરવા ગામે રહેતા દિગ્વિજયસિંહ બળવંતસિંહ જાડેજા (45)એ ડમ્પર નં જીજે 36 ટી 7777 ના ચાલક સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, હળવદ માળિયા હાઇવે રોડ ઉપર વાધરવા ગામ પાસેથી તેમના નાનાભાઈ નીતિનરાજસિંહ બળવંતસિંહ જાડેજા પોતાનું બાઈક નંબર જીજે 3 એફબી 8735 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે રોડ ક્રોસ કરતા સમયે ડમ્પરના ચાલકે તેઓના બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માત ના બનાવમાં નીતિનરાજસિંહ જાડેજાને કપાળ, કાન, હાથ અને શરીરે ગંભીર ઇજા થઇ હોવાના કારણે તેનો મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને ડમ્પર ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News