ભુજના માધાપર ગામે રહેતા ટ્રાન્સપોર્ટર સાથે 46.90 લાખની ઠગાઈના ગુનામાં મોરબીની આંગડિયા પેઢીનો માલિક પકડાયો મોરબીમાં જૈન પ્લોટ પૌષધ શાળા ખાતે શ્રી મુનિસુવ્રત સ્વામીના જાપ-આરાધનાનો કાર્યક્રમ યોજાયો લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા ડાયાબિટીસ-બીપી ચેક અપ કેન્દ્ર ખુલ્લુ મુકાયું મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસેનો બનાવ: પરિણીતાને ફોનમાં મેસેજ કરનાર યુવાનને સમાધાન માટે બોલાવી કરી નાંખી હત્યા, આરોપી સહિત 4 ને ઇજા મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર આયોજિત કેન્સર સ્ક્રીનીગ કેમ્પમાં ૧૦૦ લોકોએ લાભ લીધો મોરબીના ગાળા ગામ પાસે આગ લાગતા કારખાનામાં પડેલો માલ સામાન બળીને ખાખ મોરબી નજીકના ઘુનડા પાસે બાઇક સ્લીપ થતા સગીરનુંં મોત ફિલ્મી સ્ટંટની જેમ ધડાધડ ફાયરિંગ: મોરબીમાં જૂની માથાકૂટનો ખાર રાખીને સ્કોર્પિયો સહિત 3 કારમાં આવેલા 5 શખ્સોએ કર્યા ત્રણ રાઉન્ડ ફાયરિંગ, 3 ઇજાગ્રસ્ત સારવારમાં
Breaking news
Morbi Today

માળીયા (મી)ના બગસરા ગામે રહેતા યુવાને વ્યાજે લીધેલ રૂપિયા કરતાં વધુ રકમ ચૂકવી દીધી છતાં 65 હજારની પઠાણી ઉઘરાણી ચાલુ !


SHARE













માળીયા (મી)ના બગસરા ગામે રહેતા યુવાને વ્યાજે લીધેલ રૂપિયા કરતાં વધુ રકમ ચૂકવી દીધી છતાં 65 હજારની પઠાણી ઉઘરાણી ચાલુ !

માળીયા (મી)ના બગસરા ગામે રહેતા યુવાને 5 ટકાના વ્યાજ લેખે રૂપિયા લીધા હતા અને જેટલા રૂપિયા લીધેલ હતા તેનાથી વધુ રકમ આપી દીધી છે તો પણ તેની પાસેથી વધુ રૂપિયા પડાવવા માટે થઈને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી છે અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે. જેથી ભોગ બનેલ યુવાન દ્વારા માળિયા (મી) તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે માળિયા તાલુકાના બગસરા ગામે રહેતા સુધીરભાઈ વલ્લભભાઈ પાટડીયા (38)દેવશીભાઈ લાલજીભાઈ સરડવા રહે. સરવડ ગામ તાલુકો માળિયા વાળા સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તે જણાવ્યું છે કે તેણે દેવશીભાઈ સરડવા પાસેથી 90 હજાર રૂપિયા 5 ટકાના વ્યાજ લેખે લીધેલ હતા અને તેની સામે તેણે અત્યાર સુધીમાં 1.13 લાખ રૂપિયા વ્યાજ સહિત તેને પાછા આપી દીધા છે તેમ છતાં પણ આરોપી દ્વારા ફરિયાદી પાસેથી વધુ 65,000 રૂપિયાની માંગણી કરવામાં આવી રહી છે અને વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ફરિયાદીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે તેમજ ફરિયાદી પાસેથી બળજબરી પૂર્વક કોરા ચેકમાં સહી કરી કોરા ચેક પડાવી લેવામાં આવે છે જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News