ટંકારા તાલુકાના લખધીરગઢ-અમરાપર ગામે વૃક્ષારોપણના કાર્યક્રમો જિલ્લા માહિતી અધિકારીના માર્ગદર્શન હેઠળ યોજાયા મોરબી નિવાસી અધિક કલેક્ટરની ઉપસ્થિતિમાં મિશન શક્તિ યોજના અન્વયે બેઠક યોજાઈ મોરબી મનપામાં કમિશનરના અધ્યક્ષ સ્થાને બે ધારાસભ્યોની હાજરીમાં સંકલનની બેઠક યોજાઈ: પ્રાથમિક સુવિધાના પ્રશ્નોને ઉકેલવાના કામને આપશે પ્રાધાન્ય મોરબી જલારામ ધામ ખાતે રવિવારથી લોહાણા જ્ઞાતિના યુવક-યુવતીઓ માટે નિઃશુલ્ક વેવિશાળ કેન્દ્ર શરૂ મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની સગીરવયની દીકરીનું અપહરણ, પોલીસ તપાસ શરૂ હળવદના રાણેકપર ગામે પડી જવાથી માથામાં ઇજા થતાં એક વર્ષની બાળકીનું મોત વાંકાનેર તાલુકામાં જોખમી પુલ, ખરાબ રોડ, ખનીજ ચોરી સહિતના પ્રશ્ને કોંગ્રેસના માજી ધારાસભ્યની આગેવાનીમાં આવેદનપત્ર પાઠવ્યુ ધારાસભ્યની રજુઆત ફળી: મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ બની રહેલા ફ્લાયઓવર બ્રિજના કામમાં 60 કરોડનો વધારો કરાયો, હવે 16 ખુલ્લા ગાળા મળશે
Breaking news
Morbi Today

માળીયા (મી)ના બગસરા ગામે રહેતા યુવાને વ્યાજે લીધેલ રૂપિયા કરતાં વધુ રકમ ચૂકવી દીધી છતાં 65 હજારની પઠાણી ઉઘરાણી ચાલુ !


SHARE

















માળીયા (મી)ના બગસરા ગામે રહેતા યુવાને વ્યાજે લીધેલ રૂપિયા કરતાં વધુ રકમ ચૂકવી દીધી છતાં 65 હજારની પઠાણી ઉઘરાણી ચાલુ !

માળીયા (મી)ના બગસરા ગામે રહેતા યુવાને 5 ટકાના વ્યાજ લેખે રૂપિયા લીધા હતા અને જેટલા રૂપિયા લીધેલ હતા તેનાથી વધુ રકમ આપી દીધી છે તો પણ તેની પાસેથી વધુ રૂપિયા પડાવવા માટે થઈને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી છે અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે. જેથી ભોગ બનેલ યુવાન દ્વારા માળિયા (મી) તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે માળિયા તાલુકાના બગસરા ગામે રહેતા સુધીરભાઈ વલ્લભભાઈ પાટડીયા (38)દેવશીભાઈ લાલજીભાઈ સરડવા રહે. સરવડ ગામ તાલુકો માળિયા વાળા સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તે જણાવ્યું છે કે તેણે દેવશીભાઈ સરડવા પાસેથી 90 હજાર રૂપિયા 5 ટકાના વ્યાજ લેખે લીધેલ હતા અને તેની સામે તેણે અત્યાર સુધીમાં 1.13 લાખ રૂપિયા વ્યાજ સહિત તેને પાછા આપી દીધા છે તેમ છતાં પણ આરોપી દ્વારા ફરિયાદી પાસેથી વધુ 65,000 રૂપિયાની માંગણી કરવામાં આવી રહી છે અને વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ફરિયાદીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે તેમજ ફરિયાદી પાસેથી બળજબરી પૂર્વક કોરા ચેકમાં સહી કરી કોરા ચેક પડાવી લેવામાં આવે છે જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News