મોરબી મહાનગરપાલિકાના આશ્રયગૃહ ખાતે આશ્રીતો માટે આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો મોરબીની ધી.વી.સી હાઇસ્કૂલ અને વિવેકનંદ કન્યા શાળામાં માતૃભાષા મહોત્સવની ઉજવણી કરાશે મોરબી પાટીદાર વુમન્સ પાવર ગ્રુપના સભ્યની દીકરીનો જન્મદિવસ બાળકોને આનંદ અપાવીને ઉજવાયો મોરબી: ગામનો પૈસો ગામમાં અને શહેરનો પૈસો પણ ગામમાં, પ્રાકૃતિક કૃષિ દ્વારા ખેતી ખર્ચ ઘટાડી આર્થિક સમૃદ્ધિ તરફ ડગ માંડતા ખેડૂતો મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રીટર્નના કેસમાં એક વર્ષની સજા: ડબલ રૂપીયાનો દંડ મોરબીના રામધન આશ્રમ, જડેશ્વર મહાદેવ મંદિર, આપના કાર્યાલય સહિત જુદીજુદી જગ્યાએ શિવરાત્રિ ઉજવાઇ મોરબીના કારખાનામાં ઊંચાઈ ઉપરથી પડતાં મૃત્યુ પામેલા પરિવારને મળતા ધારાસભ્ય વિમલ ચુડાસમા: આરોપીઓ વહેલી તકે નહીં પકડાઈ તો મુદો વિધાનસભામાં ગુંજશે ​​​​​​​બાંધણું કરવાના નાટક ?!: મોરબીના રફાળેશ્વર ગામે શિવરાત્રીનો મેળો લૂંટ મેળો બન્યો છતાં તંત્ર તમાસો જોતું રહ્યું ?
Breaking news
Morbi Today

માળીયા (મી)ના બગસરા ગામે રહેતા યુવાને વ્યાજે લીધેલ રૂપિયા કરતાં વધુ રકમ ચૂકવી દીધી છતાં 65 હજારની પઠાણી ઉઘરાણી ચાલુ !


SHARE













માળીયા (મી)ના બગસરા ગામે રહેતા યુવાને વ્યાજે લીધેલ રૂપિયા કરતાં વધુ રકમ ચૂકવી દીધી છતાં 65 હજારની પઠાણી ઉઘરાણી ચાલુ !

માળીયા (મી)ના બગસરા ગામે રહેતા યુવાને 5 ટકાના વ્યાજ લેખે રૂપિયા લીધા હતા અને જેટલા રૂપિયા લીધેલ હતા તેનાથી વધુ રકમ આપી દીધી છે તો પણ તેની પાસેથી વધુ રૂપિયા પડાવવા માટે થઈને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી છે અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે. જેથી ભોગ બનેલ યુવાન દ્વારા માળિયા (મી) તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે માળિયા તાલુકાના બગસરા ગામે રહેતા સુધીરભાઈ વલ્લભભાઈ પાટડીયા (38)દેવશીભાઈ લાલજીભાઈ સરડવા રહે. સરવડ ગામ તાલુકો માળિયા વાળા સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તે જણાવ્યું છે કે તેણે દેવશીભાઈ સરડવા પાસેથી 90 હજાર રૂપિયા 5 ટકાના વ્યાજ લેખે લીધેલ હતા અને તેની સામે તેણે અત્યાર સુધીમાં 1.13 લાખ રૂપિયા વ્યાજ સહિત તેને પાછા આપી દીધા છે તેમ છતાં પણ આરોપી દ્વારા ફરિયાદી પાસેથી વધુ 65,000 રૂપિયાની માંગણી કરવામાં આવી રહી છે અને વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ફરિયાદીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે તેમજ ફરિયાદી પાસેથી બળજબરી પૂર્વક કોરા ચેકમાં સહી કરી કોરા ચેક પડાવી લેવામાં આવે છે જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News