લોકોને પાંચ વર્ષની સ્થિર સરકાર અને સમય તેમજ નાણાંનો બગાડ રોકવા માટે વન નેશન વન ઇલેક્શન અનિવાર્ય: મહેશભાઈ કસવાલા, મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે વન નેશન, વન ઇલેક્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઈ મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા
Breaking news
Morbi Today

માળીયા (મી)ના બગસરા ગામે રહેતા યુવાને વ્યાજે લીધેલ રૂપિયા કરતાં વધુ રકમ ચૂકવી દીધી છતાં 65 હજારની પઠાણી ઉઘરાણી ચાલુ !


SHARE

















માળીયા (મી)ના બગસરા ગામે રહેતા યુવાને વ્યાજે લીધેલ રૂપિયા કરતાં વધુ રકમ ચૂકવી દીધી છતાં 65 હજારની પઠાણી ઉઘરાણી ચાલુ !

માળીયા (મી)ના બગસરા ગામે રહેતા યુવાને 5 ટકાના વ્યાજ લેખે રૂપિયા લીધા હતા અને જેટલા રૂપિયા લીધેલ હતા તેનાથી વધુ રકમ આપી દીધી છે તો પણ તેની પાસેથી વધુ રૂપિયા પડાવવા માટે થઈને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી છે અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે. જેથી ભોગ બનેલ યુવાન દ્વારા માળિયા (મી) તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે માળિયા તાલુકાના બગસરા ગામે રહેતા સુધીરભાઈ વલ્લભભાઈ પાટડીયા (38)દેવશીભાઈ લાલજીભાઈ સરડવા રહે. સરવડ ગામ તાલુકો માળિયા વાળા સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તે જણાવ્યું છે કે તેણે દેવશીભાઈ સરડવા પાસેથી 90 હજાર રૂપિયા 5 ટકાના વ્યાજ લેખે લીધેલ હતા અને તેની સામે તેણે અત્યાર સુધીમાં 1.13 લાખ રૂપિયા વ્યાજ સહિત તેને પાછા આપી દીધા છે તેમ છતાં પણ આરોપી દ્વારા ફરિયાદી પાસેથી વધુ 65,000 રૂપિયાની માંગણી કરવામાં આવી રહી છે અને વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ફરિયાદીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે તેમજ ફરિયાદી પાસેથી બળજબરી પૂર્વક કોરા ચેકમાં સહી કરી કોરા ચેક પડાવી લેવામાં આવે છે જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News