લોકોને પાંચ વર્ષની સ્થિર સરકાર અને સમય તેમજ નાણાંનો બગાડ રોકવા માટે વન નેશન વન ઇલેક્શન અનિવાર્ય: મહેશભાઈ કસવાલા, મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે વન નેશન, વન ઇલેક્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઈ મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા સેવા સદન પાસે બીમાર ગલુડીયાને તાત્કાલિક સારવાર આપીને જીવ બચાવ્યો


SHARE

















મોરબી જિલ્લા સેવા સદન પાસે બીમાર ગલુડીયાને તાત્કાલિક સારવાર આપીને જીવ બચાવ્યો

સમગ્ર રાજ્ય સહિત મોરબી જિલ્લામાં દિવ્યાંગનબળાબીમાર પશુઓની મદદ માટે ૧૯૬૨ કરુણા હેલ્પલાઈન નિ:શુલ્ક કાર્યરત છે. કરુણા એમ્બ્યુલન્સ ટીમ તાલીમબદ્ધ કર્મચારીઓદવાસાધનો અને લેબોરેટરીની સુવિધા સાથે સંપન્ન છે. આ ટીમમાં ૧ વેટરનરી ઓફિસર અને ૧ પાયલોટ હાજર રહે છે. જ્યાં પણ અબોલ જીવોને જરૂર હોય કે ઘાયલ હોય ત્યાં આ હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરવાથી તાત્કાલિક મદદ મળી શકે છે.

તાજેતરમાં શોભેશ્વર રોડ પર સ્થિત જિલ્લા સેવા સદનમાં અતિ ગંભીર હાલતમાં ૬ મહિનાનું ગલુડીયું મળી આવ્યું હતું. તેને બ્લીડિંગડીહાયડ્રેશન અને એક્સેસિવ યુરીનની સમસ્યા હતી. જેથી તેના જીવ પર ખતરો તોળાયો હતો. આ અંગે ૧૯૬૨ કરુણા હેલ્પલાઇન પર જિલ્લા માહિતી કચેરી દ્વારા જાણ કરવામાં આવી હતી. આ કોલ મળ્યાના માત્ર ૫ મિનિટમાં જ મોરબી કરુણા હેલ્પલાઈન ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને બીમાર પશુને તાત્કાલિક સારવાર પૂરી પાડી હતી. આમ તેનો જીવ બચી ગયો હતો. આ સમગ્ર કામગીરી બદલ જિલ્લા માહિતી કચેરીજિલ્લા તિજોરી કચેરીસિક્યોરીટી સ્ટાફ અને કરુણા હેલ્પલાઇનના કર્મચારીગણનો સહયોગ મળ્યો હતો.




Latest News