ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે ઝાલાવાડ કડવા પાટીદાર કેળવણી મંડળનો 22 મો સ્નેહ મિલન-ઈનામ વિતરણનો કાર્યક્રમ યોજાશે


SHARE













મોરબીમાં કાલે ઝાલાવાડ કડવા પાટીદાર કેળવણી મંડળનો 22 મો સ્નેહ મિલન-ઈનામ વિતરણનો કાર્યક્રમ યોજાશે

મોરબીમાં કાલે ઝાલાવાડ કડવા પાટીદાર કેળવણી મંડળ દ્વારા સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ ક્લાસિક પાર્ટી પ્લોટ ખાતે રાજકોટના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાની હાજરીમાં આ કાર્યક્રમ યોજવાનો છે ત્યારે વિદ્યાર્થીઓના ઇનામ વિતરણનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મોરબી પંથકમાં રહેતા ઝાલાવાડ પંથકના તમામ પાટીદાર પરિવારોએ હાજર રહેવા માટે આયોજકો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે

મોરબીમાં દર વર્ષે ઝાલાવાડ કડવા પાટીદાર કેળવણી મંડળ દ્વારા સ્નેહમિલન અને ઈનામ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે તેવી જ રીતે આ વખતે ઝાલાવાડ કડવા પાટીદાર કેળવણી મંડળ મોરબી દ્વારા 22 મા સ્નેહ મિલન કાર્યક્રમ સાથે ઇનામ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ ક્લાસિક પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું છે અને કાલે તા. 22 ને રવિવારે સાંજે 4:30 વાગ્યે આ કાર્યક્રમ યોજવાનો છે જેમાં રાજકોટના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, મોરબી પાટીદાર સમાજના આગેવાન ગોવિંદભાઈ વરમોરા તેમજ પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડિયા, ધારાસભ્યો પ્રકાશભાઈ વરમોરા, કાંતિભાઈ અમૃતિયા અને દુર્લભભાઈ દેથરીયા તથા સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પ્રમુખ હરિકૃષ્ણભાઈ બચુભાઈ પટેલ સહિતના અગ્રણીઓ હાજર રહેવાના છે અને તેઓ હસ્તે વિદ્યાર્થીઓના સન્માન કરવામાં આવશે અને આ સાથોસાથ ગુજરાતના ખ્યાતનામ હાસ્ય કલાકાર સુખદેવ ધામલીયાના હાસ્યરસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેથી આ કાર્યક્રમમાં ઝાલાવડ પંથકના દરેક પાટીદાર પરિવારોએ સહ પરિવાર હાજર રહેવા માટે ઝાલાવાડ કડવા પાટીદાર કેળવણી મંડળના પ્રમુખ પ્રકાશભાઈ કેશવજીભાઈ કાચરોલા દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે






Latest News