મોરબી જિલ્લા સંકલનની બેઠકમાં અધિકારી-પદાધિકારી ઉપરાંત ભાજપના આગેવાનોને કેમ બેસાડે ?: ગણગણાટ શરૂ
મોરબીમાં કારખાનું બંધ રહેતા આર્થિક મૂંઝવણથી કંટાળીને યુવાન આપઘાત કર્યો હોવાનું ખૂલ્યું
SHARE
મોરબીમાં કારખાનું બંધ રહેતા આર્થિક મૂંઝવણથી કંટાળીને યુવાન આપઘાત કર્યો હોવાનું ખૂલ્યું
મોરબીના બાયપાસ રોડે આવેલ મચ્છુ-3 ડેમમાં પાડીને યુવાને આપઘાત કર્યો હતો જે બનાવની તપાસ કરી રહેલ પોલીસ કર્મચારી પાસેથી મળેલ માહિતી મુજબ છેલ્લા ઘણા મહિનાથી સિરામિક કારખાનું બંધ હોવાથી આર્થિક મૂંઝવણ હતી જેથી કંટાળીને તેને આપઘાત કરેલ છે. જેની પોલીસે તેની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબીના બાયપાસ રોડે આવેલ જુના આરટીઓ પાસે મચ્છુ-3 ડેમના પુલ ઉપરથી યુવાને ડેમના પાણીમાં ઝંપલાવ્યું હતું અને તેની બોડીને ફાયરની ટિમ ગઇકાલે સવારે પાણીમાંથી બાહર કાઢેલ છે. અને મૃતક કનેરીયા રવીભાઇ ધીરજલાલ (35) રહે. મહાવીર સોસાયટી સામાકાંઠે મોરબી વાળાના મૃતદેહને પીએમ માટે લઈ ગયા હતા અને આ અંગેની આગળની તપાસ કરી રહેલ એ.એમ.ઝાંપડીયા સાથે વાત કરતાં તેને જણાવ્યુ હતું કે, યુવાન જે સિરામિક કારખાનાં કામ કરતો હતો તે કારખાનું છેલ્લા ઘણા મહિનાથી બંધ છે જેથી આર્થિક મૂંઝવણ હતી અને આર્થિક મૂંઝવણની કંટાળીને તેને આ પગલું ભરેલ છે જે અંગેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.