મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

મોરબીમાં કારખાનું બંધ રહેતા આર્થિક મૂંઝવણથી કંટાળીને યુવાન આપઘાત કર્યો હોવાનું ખૂલ્યું


SHARE













મોરબીમાં કારખાનું બંધ રહેતા આર્થિક મૂંઝવણથી કંટાળીને યુવાન આપઘાત કર્યો હોવાનું ખૂલ્યું

મોરબીના બાયપાસ રોડે આવેલ મચ્છુ-ડેમમાં પાડીને યુવાને આપઘાત કર્યો હતો જે બનાવની તપાસ કરી રહેલ પોલીસ કર્મચારી પાસેથી મળેલ માહિતી મુજબ છેલ્લા ઘણા મહિનાથી સિરામિક કારખાનું બંધ હોવાથી આર્થિક મૂંઝવણ હતી જેથી કંટાળીને તેને આપઘાત કરેલ છે. જેની પોલીસે તેની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના બાયપાસ રોડે આવેલ જુના આરટીઓ પાસે મચ્છુ-ડેમના પુલ ઉપરથી યુવાને ડેમના પાણીમાં ઝંપલાવ્યું હતું  અને તેની બોડીને ફાયરની ટિમ ગઇકાલે સવારે પાણીમાંથી બાહર કાઢેલ છે. અને મૃતક કનેરીયા રવીભાઇ ધીરજલાલ (35) રહે. મહાવીર સોસાયટી સામાકાંઠે મોરબી વાળાના મૃતદેહને પીએમ માટે લઈ ગયા હતા અને આ અંગેની આગળની તપાસ કરી રહેલ એ.એમ.ઝાંપડીયા સાથે વાત કરતાં તેને જણાવ્યુ હતું કે, યુવાન જે સિરામિક કારખાનાં કામ કરતો હતો તે કારખાનું છેલ્લા ઘણા મહિનાથી બંધ છે જેથી આર્થિક મૂંઝવણ હતી અને આર્થિક મૂંઝવણની કંટાળીને તેને આ પગલું ભરેલ છે જે અંગેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News