ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં કારખાનું બંધ રહેતા આર્થિક મૂંઝવણથી કંટાળીને યુવાન આપઘાત કર્યો હોવાનું ખૂલ્યું


SHARE













મોરબીમાં કારખાનું બંધ રહેતા આર્થિક મૂંઝવણથી કંટાળીને યુવાન આપઘાત કર્યો હોવાનું ખૂલ્યું

મોરબીના બાયપાસ રોડે આવેલ મચ્છુ-ડેમમાં પાડીને યુવાને આપઘાત કર્યો હતો જે બનાવની તપાસ કરી રહેલ પોલીસ કર્મચારી પાસેથી મળેલ માહિતી મુજબ છેલ્લા ઘણા મહિનાથી સિરામિક કારખાનું બંધ હોવાથી આર્થિક મૂંઝવણ હતી જેથી કંટાળીને તેને આપઘાત કરેલ છે. જેની પોલીસે તેની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના બાયપાસ રોડે આવેલ જુના આરટીઓ પાસે મચ્છુ-ડેમના પુલ ઉપરથી યુવાને ડેમના પાણીમાં ઝંપલાવ્યું હતું  અને તેની બોડીને ફાયરની ટિમ ગઇકાલે સવારે પાણીમાંથી બાહર કાઢેલ છે. અને મૃતક કનેરીયા રવીભાઇ ધીરજલાલ (35) રહે. મહાવીર સોસાયટી સામાકાંઠે મોરબી વાળાના મૃતદેહને પીએમ માટે લઈ ગયા હતા અને આ અંગેની આગળની તપાસ કરી રહેલ એ.એમ.ઝાંપડીયા સાથે વાત કરતાં તેને જણાવ્યુ હતું કે, યુવાન જે સિરામિક કારખાનાં કામ કરતો હતો તે કારખાનું છેલ્લા ઘણા મહિનાથી બંધ છે જેથી આર્થિક મૂંઝવણ હતી અને આર્થિક મૂંઝવણની કંટાળીને તેને આ પગલું ભરેલ છે જે અંગેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News