પોલીસનો સપાટો: ટંકારામાંથી ચાઈનીઝ દોરીની 58 ફીરકા સાથે એક પકડાયો
મોરબીના શિક્ષક દ્રારા નિવૃત્તિ સમયના પ્રસંગનું પ્રેરણાદાયી કાર્ય
SHARE
મોરબીના શિક્ષક દ્રારા નિવૃત્તિ સમયના પ્રસંગનું પ્રેરણાદાયી કાર્ય
મોરબીના વાંકાનેર તાલુકામાં આવેલ શ્રી જાલી પ્રાથમિક શાળાના મ.શિક્ષિકા અને ૨૩ વર્ષ સુધી જંકશન તાલુકા શાળામાં ફરજ બજાવનાર તાલુકા શાળાના ભૂતપૂર્વ આચાર્ય ભાવનાબેન ઠાકર તરફથી સ્વૈચ્છિક નિવૃત્તિ વિદાય પ્રસંગે પોતાની પૂર્વ શાળા એવી જંકશન તાલુકા શાળાને રૂપિયા ૧૧,૦૦૦ નું અનુદાન અર્પણ કરેલ તેમજ વાંકાનેર પુસ્તક પરબને રૂપિયા ૫૦૦૦ ભેટ સ્વરૂપે આપેલ છે.તે માટે સમગ્ર જંકશન તાલુકા શાળા પરિવાર તેમજ પુસ્તક પરબની ટીમએ આ તકે બહેનશ્રીનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો અને ભગવાન ભોળાનાથ તેમનું સ્વાસ્થ્ય સારું રાખે અને તેમના જીવનની દરેક ક્ષણો આનંદ સાથે પસાર થાય તેવી શુભેચ્છા સાથે મંગલમય જીવનની શુભકામના પાઠવી હતી.