મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડે સરદારબાગના નવીનીકરણના કામનું આજે ધારાસભ્યો-કમિશ્નરની હાજરીમાં ખાતમુહૂર્ત


SHARE













મોરબીના શનાળા રોડે સરદારબાગના નવીનીકરણના કામનું આજે ધારાસભ્યો-કમિશ્નરની હાજરીમાં ખાતમુહૂર્ત

મોરબી મહાપાલિકા અસ્તિત્વમાં આવી તેને ગણતરીના દિવસો જ થયા છે ત્યાં વિકાસકામો કમિશ્નરે ચાર્જ લેતાની સાથે જ શરૂ કરી દેવામાં આવેલ છે અને આજે સાંજે મોરબીના શનાળા રોડે આવેલ સરદારબાગના નવીનીકરણના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે ત્યારે ધારાસભ્યો અને કમિશ્નર સહિતના હાજર રહેશે.

મોરબીમાં આજે સાંજે 5:00 વાગ્યે સરદારબાગના નવીનીકરણના કામનું મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે ત્યારે મોરબીના મ્યુનિસિપલ કમિશ્નર સ્વપ્નિલ ખરે સહિતના અધિકારીઓ અને નગરજનો સહિતના હાજર રહેશે આ કામ સરકારની અમૃત 2.0 યોજના અંતર્ગત કરવામાં આવશે અને સરદારબાગનું 1.02 કરોડના ખર્ચે નવીનીકરણ થશે. જેમાં ચિલ્ડ્રન પ્લે અને જીમ ઈકવિપમેન્ટ, વોક વે અને પાર્કિંગ એરિયા, લોન અને પ્લાન્ટેશન, મ્યુઝિકલ ફાઉન્ટેઈન, લાઈટિંગ, સિક્યોરિટી કેબીન અને સ્ટોર રૂમ, ટોયલેટ બ્લોક વગેરે સુવિધાઓ ઉપલબ્ધ થશે. 






Latest News