મોરબીના ખાખરાળાનું ખમીર: ડાંગર કુળની અમર શૌર્યગાથા અને ભવ્ય સુરપુરા ધામ પાળીયાનો પ્રતિમા પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હળવદના સુંદરગઢ ગામે આવેલ પેટ્રોલ પંપે ડીઝલ લેવા ખેડૂતોએ કેરબાની લાઈનો લગાવી મોરબી :પુરુષોત્તમ માસ સ્પેશ્યિલ બાળકો માટે ઓનલાઇન કેમ્પ તદ્દન ફ્રી, બાળકના હૃદયને કૃષ્ણના પ્રેમ અને જ્ઞાનથી ખીલવા દો નીટનું પેપર ફૂટવા મુદે કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે મોરબી જિલ્લા કોંગ્રેસ-યૂથ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન મોરબીમાં ત્રણ રેડમાં દારૂની નવ બોટલ ઝડપાઇ, 200 લિટર દારૂ સાથે 3 પકડાયા: માળિયામાંથી 800 લિટર આથો ઝડપાયો વાંકાનેરના દલડી ગામ પાસે અગાઉની બોલાચાલીનો ખાર રાખીને આધેડને બે શખ્સોએ લાકડાના ધોકાથી માર માર્યો મોરબીના બેલા ગામ પાસે સીરામીક કારખાના ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાનનો આપઘાત મોરબી સમસ્ત જૈન મહિલા મંડળોનો ઋષભ પ્રશ્નમંચ યોજાયો, પૌષધ શાળાના ભાવના મંડળની ટીમ પ્રથમ
Breaking news
Morbi Today

મોરબી એ ડિવિઝનના પીઆઇ હકુમતસિંહ જાડેજાની બદલી થતાં વિદાય સમારોહ યોજાયો: લાગણીસભર દ્રશ્યો સર્જાયા


SHARE











મોરબી એ ડિવિઝનના પીઆઇ હકુમતસિંહ જાડેજાની બદલી થતાં વિદાય સમારોહ યોજાયો: લાગણીસભર દ્રશ્યો સર્જાયા

મોરબી સહિત કોઈપણ જગ્યાએ ટૂંકા સમયમાં સારી કોઈપણ પ્રકારના વિવાદ કામગીરી કરનારા અધિકારીઓની બદલી કરવામાં આવે છે ત્યારે સ્વભાવિક રીતે લાગણીસભર દ્રશ્યો સર્જાતા હોય છે આવો જ ઘાટ મોરબીમાં એ ડિવિઝનના પીઆઇ હકુમતસિંહ જાડેજા બદલી થતાં વિદાય સમરોહ સમયે યોજાયો હતો કેમ કે, બે મર્ડરના ડિટેકશન, લવ જેહાદ, વ્યાજખોરોને ડામવા સહિતની તમામ બાબતોમાં તેમની કાબિલેદાદ કામગીરી હતી તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી.

મોરબીના એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા તાજેતરમાં જીલ્લામાં સાત પીઆઇની બદલી કરવામાં આવી હતી જેમાં મોરબી એ ડિવિઝનના પીઆઇ હકૂમતસિંહની બદલી વાંકાનેર ખાતે કરવામાં આવી છે જેથી કરીને તેને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિદાય સમારોહ યોજાયો હતો જેમાં ડીવાયએસપી પી.એ.ઝાલા સહિતના અધિકારીઓ અને વકીલો, ઉદ્યોગકારો સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. અને પીઆઇ હકૂમતસિંહ જાડેજાને પોલીસ અધિકારીઓ અને જવાનોએ પુષ્પવર્ષા કરીને તેમજ આતિશબાજી કરીને વિદાય આપી હતી ત્યારે કેટલાક કર્મચારીઓની આંખના ખૂણા ભીના થઈ ગયા હતા.

મોરબી એ ડિવિઝનમાં હકૂમતસિંહ જાડેજાએ પોણા બે વર્ષ સુધી ફરજ બજાવી છે તે દરમ્યાન લવ જેહાદ, વ્યાજખોરો, દારૂ, જુગાર, રોમિયોગીરી વિગેરેમાં કાબિલેદાદ કહી શકાય તેવી કામગીરી કરી હતી અને ખાસ કરીને શહેરમાં ગુનેગારોને ડામવા માટે તેઓની મહવની ભૂમિકા રહી હતી અને તેઓના કાર્યકાળમાં થયેલા ડિટેકશનની વાત કરીએ તો મોરબીના લીલાપર કેનાલ પાસે મહિલાની કોહવાય ગયેલી લાશ મળી આવી હતી. અને મહિલાના હાથ પર માત્ર નામ જ ત્રોફાવેલું હતું. તેના આધારે મહિલાની ઓળખ કરીને આરોપીની ધરપકડ કરી હતી. આવી જ રીતે મોરબીના વાવડી પાસે ઓફિસે લેણી રકમ લેવા ગયેલા યુવાનની હત્યા કરવામાં આવી હતી અને ત્યાર બાદ લાશને જમીનમાં દાટી દીધી હતી તે ગુનામાં પોલીસ પુત્રની ધરપકડ કરીને તેને જેલ હવાલે કરવામાં આવેલ છે. 






Latest News