ટંકારાના લજાઈ નજીક કોમ્પલેક્ષની છત ઉપરથી દારૂની 192 બોટલ રેઢી મળી !: બુટલેગરની શોધખોળ મોરબી-માળીયા તાલુકામાં દારૂની બે રેડ: 17 બોટલ દારૂ સહિત કુલ 6.61 લાખનો મુદામાલ કબજે મોરબીના બરવાળા ગામે વાડીએ હલરમાં આવી જવાથી ઇજા પામેલા યુવાનનું મોત વાંકાનેર: બોલાચાલી બાદ માર મારતા પત્ની રિસાઈને સૂઈ જતાં યુવાને અણધાર્યું પગલું ભર્યું માળીયા (મી)માં નાના ધંધાર્થીઓને ધંધો કરવા માટે વૈકલ્પિક જગ્યા આપવા સીએમને રજૂઆત મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા રંગોત્સવની પ્રેરણાદાયી ઉજવણી કરાઇ મોરબીના એકતા એજ લક્ષ્ય સંગઠનમાં હોદેદારોની વરણી કરાઇ મોરબી ઉમિયા માનવ સેવા ટ્રસ્ટની મીટીંગમાં માનવ મંદિરમાં વડીલોના પ્રવેશ માટેના બે મહત્વના નિર્ણયો લેવાયા
Breaking news
Morbi Today

કચ્છના સાંસદની ઈન્સ્ટીટ્યુટ ઓફ ટીચીંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ જામનગર સંસ્થાનમાં નિમણુંક


SHARE











કચ્છના સાંસદની ઈન્સ્ટીટ્યુટ ઓફ ટીચીંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ જામનગર સંસ્થાનમાં નિમણુંક

કમિટી વિભાગ દ્વારા કચ્છના સાંસદ તથા ગુજરાત પ્રદેશ મહામંત્રી વિનોદભાઇ ચાવડાની ઈન્સ્ટીટ્યુટ ઓફ ટીચીંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ જામનગરમાં નિમણુંક થયેલ છે. મિનિસ્ટ્રી ઓફ આયુષ અને મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ વેલફર દ્વારા કચ્છ મોરબીના સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા અને જામનગર લોકસભા સાંસદ શ્રીમતી પુનમબેન માંડમની નિમણુંકને માન્યતા આપી છે.

સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું કે, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી એ જામનગર મધ્યે આવેલી એક શિક્ષણ અને સંશોધન નું કાર્ય કરતી સંસ્થા છે. સ્થાયી યુનિવર્સિટી છે. જયાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના આયુર્વેદ વિષયક અભ્યાસક્રમો ના શિક્ષણ અને સશોધન નું કાર્ય સંચાલન થાય છે. તેમ જણાવ્યુ હતું. જેમાં મારી નિમણુંક થયેલ છે. હું પુરા વિશ્વાસ અને ખંત થી આયુર્વેદ સંસ્થાન માં સહભાગી બનીશ તેમ જણાવ્યુ હતું.








Latest News