માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં એમ્બ્યુલન્સમાં મુસાફરના વાયરલ વિડિયો બાબતે તપાસ શરૂ, શિક્ષાત્મક પગલાં લેવાશે: અધિકારી


SHARE











મોરબી જીલ્લામાં એમ્બ્યુલન્સમાં મુસાફરના વાયરલ વિડિયો બાબતે તપાસ શરૂ, શિક્ષાત્મક પગલાં લેવાશે: અધિકારી

મોરબી જીલ્લા સહિત દેશભરમાં એમ્બ્યુલન્સ માત્ર દર્દીઓની સેવા માટે અનામત રાખવામાં આવી છે. પણ મોરબી જિલ્લામાં એમ્બ્યુલન્સમાં મુસાફરોને બેસાડીને હેરાફેરી કરતા હોવાનો વિડિયો વાયરલ થયેલ હતો અને જે એમ્બ્યુલન્સ હતી તે વાંકાનેર સિવિલની હતી જેથી કરીને ત્યાંના અધિકારી તપાસ શરૂ કરી છે અને જવાબદાર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેવી માહિતી અધિકારી પાસેથી મળેલ છે.

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ લજાઇ ચોકડી પાસેનો એમ્બ્યુલન્સમાં મુસાફરને બેસાડવામાં આવતા હોય તેવો એક વિડિયો વાયરલ થયો છે. અને જેમા મુસાફર બેસાડવામાં આવેલ હતા તે સરકારી એમ્બ્યુલન્સના નંબર જીજે 36 જી 0308 વાંકાનેર સિવિલની હોવાનું સામે આવ્યું હતું જો કે, વિડીયો મોરબી જીલ્લામાં વાયરલ થયો હતો જેથી અનેક સવાલ ઊભા થતાં હતા જેથી કરીને સરકારી એમ્બ્યુલન્સમાં મુસાફરોને બેસાડનાર ડ્રાઈવરના કહેવા મુજબ કોઈ વૃદ્ધને ચાલવામાં તકલીફ હતી જેથી તેને એમ્બ્યુલન્સમાં બેસાડવામાં આવ્યા હતા. જો કે, મોરબી ગયેલા વાંકાનેર પાછી આવી રહી હતી ત્યારનો વિડ્યો સામે આવેલ હતો જેથી કરીને વાંકાનેર સિવિલના અધિકારી દ્વારા આ બાબતે તપાસ શરૂ કરવામાં આવેલ છે અને સરકારી એમ્બ્યુલન્સ મુસાફરને બેસાડીને તેની પાસેથી રૂપિયા લેવામાં આવ્યા હોય તેવી જો કોઈ વાત સામે આવશે તો જવાબદાર વ્યક્તિ સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે તેવું જણાવ્યુ છે.






Latest News