વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં એમ્બ્યુલન્સમાં મુસાફરના વાયરલ વિડિયો બાબતે તપાસ શરૂ, શિક્ષાત્મક પગલાં લેવાશે: અધિકારી


SHARE

















મોરબી જીલ્લામાં એમ્બ્યુલન્સમાં મુસાફરના વાયરલ વિડિયો બાબતે તપાસ શરૂ, શિક્ષાત્મક પગલાં લેવાશે: અધિકારી

મોરબી જીલ્લા સહિત દેશભરમાં એમ્બ્યુલન્સ માત્ર દર્દીઓની સેવા માટે અનામત રાખવામાં આવી છે. પણ મોરબી જિલ્લામાં એમ્બ્યુલન્સમાં મુસાફરોને બેસાડીને હેરાફેરી કરતા હોવાનો વિડિયો વાયરલ થયેલ હતો અને જે એમ્બ્યુલન્સ હતી તે વાંકાનેર સિવિલની હતી જેથી કરીને ત્યાંના અધિકારી તપાસ શરૂ કરી છે અને જવાબદાર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેવી માહિતી અધિકારી પાસેથી મળેલ છે.

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ લજાઇ ચોકડી પાસેનો એમ્બ્યુલન્સમાં મુસાફરને બેસાડવામાં આવતા હોય તેવો એક વિડિયો વાયરલ થયો છે. અને જેમા મુસાફર બેસાડવામાં આવેલ હતા તે સરકારી એમ્બ્યુલન્સના નંબર જીજે 36 જી 0308 વાંકાનેર સિવિલની હોવાનું સામે આવ્યું હતું જો કે, વિડીયો મોરબી જીલ્લામાં વાયરલ થયો હતો જેથી અનેક સવાલ ઊભા થતાં હતા જેથી કરીને સરકારી એમ્બ્યુલન્સમાં મુસાફરોને બેસાડનાર ડ્રાઈવરના કહેવા મુજબ કોઈ વૃદ્ધને ચાલવામાં તકલીફ હતી જેથી તેને એમ્બ્યુલન્સમાં બેસાડવામાં આવ્યા હતા. જો કે, મોરબી ગયેલા વાંકાનેર પાછી આવી રહી હતી ત્યારનો વિડ્યો સામે આવેલ હતો જેથી કરીને વાંકાનેર સિવિલના અધિકારી દ્વારા આ બાબતે તપાસ શરૂ કરવામાં આવેલ છે અને સરકારી એમ્બ્યુલન્સ મુસાફરને બેસાડીને તેની પાસેથી રૂપિયા લેવામાં આવ્યા હોય તેવી જો કોઈ વાત સામે આવશે તો જવાબદાર વ્યક્તિ સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે તેવું જણાવ્યુ છે.




Latest News