હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો !
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં એમ્બ્યુલન્સમાં મુસાફરના વાયરલ વિડિયો બાબતે તપાસ શરૂ, શિક્ષાત્મક પગલાં લેવાશે: અધિકારી


SHARE













મોરબી જીલ્લામાં એમ્બ્યુલન્સમાં મુસાફરના વાયરલ વિડિયો બાબતે તપાસ શરૂ, શિક્ષાત્મક પગલાં લેવાશે: અધિકારી

મોરબી જીલ્લા સહિત દેશભરમાં એમ્બ્યુલન્સ માત્ર દર્દીઓની સેવા માટે અનામત રાખવામાં આવી છે. પણ મોરબી જિલ્લામાં એમ્બ્યુલન્સમાં મુસાફરોને બેસાડીને હેરાફેરી કરતા હોવાનો વિડિયો વાયરલ થયેલ હતો અને જે એમ્બ્યુલન્સ હતી તે વાંકાનેર સિવિલની હતી જેથી કરીને ત્યાંના અધિકારી તપાસ શરૂ કરી છે અને જવાબદાર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેવી માહિતી અધિકારી પાસેથી મળેલ છે.

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ લજાઇ ચોકડી પાસેનો એમ્બ્યુલન્સમાં મુસાફરને બેસાડવામાં આવતા હોય તેવો એક વિડિયો વાયરલ થયો છે. અને જેમા મુસાફર બેસાડવામાં આવેલ હતા તે સરકારી એમ્બ્યુલન્સના નંબર જીજે 36 જી 0308 વાંકાનેર સિવિલની હોવાનું સામે આવ્યું હતું જો કે, વિડીયો મોરબી જીલ્લામાં વાયરલ થયો હતો જેથી અનેક સવાલ ઊભા થતાં હતા જેથી કરીને સરકારી એમ્બ્યુલન્સમાં મુસાફરોને બેસાડનાર ડ્રાઈવરના કહેવા મુજબ કોઈ વૃદ્ધને ચાલવામાં તકલીફ હતી જેથી તેને એમ્બ્યુલન્સમાં બેસાડવામાં આવ્યા હતા. જો કે, મોરબી ગયેલા વાંકાનેર પાછી આવી રહી હતી ત્યારનો વિડ્યો સામે આવેલ હતો જેથી કરીને વાંકાનેર સિવિલના અધિકારી દ્વારા આ બાબતે તપાસ શરૂ કરવામાં આવેલ છે અને સરકારી એમ્બ્યુલન્સ મુસાફરને બેસાડીને તેની પાસેથી રૂપિયા લેવામાં આવ્યા હોય તેવી જો કોઈ વાત સામે આવશે તો જવાબદાર વ્યક્તિ સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે તેવું જણાવ્યુ છે.






Latest News