મોરબી જલારામ ધામ-જલારામ સેવા મંડળ દ્વારા ત્રિવેણી સંગમ ખાતે ૨૮૫ દીવંગતોનુ અસ્થિઓનું સામૂહિક વિસર્જન કરાયું મોરબીમાં ઘરમાં જુગાર રમતા 7 શખ્સોની 25,500 ની રોકડ સાથે ધરપકડ માળીયા (મી)ના મોટા દહીસરા ગામનો બનાવ: કૌટુંબિક ભાઈએ પ્રેમલગ્ન કરતાં યુવતીના પિતા સહિત 8 શખ્સોએ યુવાનનું અપહરણ કરીને માર માર્યો મોરબીમાં જૂના મનદુખનો ખાર રાખીને દંપતીને ચાર મહિલા સહિત કુલ 5 લોકોએ માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેર બાઉન્ડ્રી નજીક ઇકો ગાડીનો ઓવરટેક કરવાની વાતનો ખાર રાખીને યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુ-પાઇપ વડે માર માર્યો મોરબીમાં રહેતા મુમુક્ષુ વિધીબેન મહેતાનો ગૃહ ત્યાગ: 1 ફેબ્રુઆરીએ દીક્ષા અંગીકાર કરશે ટંકારાના ગણેશપર ગામે પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક પર્વ ઉજવાયો, સ્કૂલબેગનું વિતરણ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં પ્રજાસતાક પર્વની ઉજવણી કરાઇ: તેજસ્વી વિધાર્થીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં એમ્બ્યુલન્સમાં મુસાફરના વાયરલ વિડિયો બાબતે તપાસ શરૂ, શિક્ષાત્મક પગલાં લેવાશે: અધિકારી


SHARE











મોરબી જીલ્લામાં એમ્બ્યુલન્સમાં મુસાફરના વાયરલ વિડિયો બાબતે તપાસ શરૂ, શિક્ષાત્મક પગલાં લેવાશે: અધિકારી

મોરબી જીલ્લા સહિત દેશભરમાં એમ્બ્યુલન્સ માત્ર દર્દીઓની સેવા માટે અનામત રાખવામાં આવી છે. પણ મોરબી જિલ્લામાં એમ્બ્યુલન્સમાં મુસાફરોને બેસાડીને હેરાફેરી કરતા હોવાનો વિડિયો વાયરલ થયેલ હતો અને જે એમ્બ્યુલન્સ હતી તે વાંકાનેર સિવિલની હતી જેથી કરીને ત્યાંના અધિકારી તપાસ શરૂ કરી છે અને જવાબદાર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેવી માહિતી અધિકારી પાસેથી મળેલ છે.

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ લજાઇ ચોકડી પાસેનો એમ્બ્યુલન્સમાં મુસાફરને બેસાડવામાં આવતા હોય તેવો એક વિડિયો વાયરલ થયો છે. અને જેમા મુસાફર બેસાડવામાં આવેલ હતા તે સરકારી એમ્બ્યુલન્સના નંબર જીજે 36 જી 0308 વાંકાનેર સિવિલની હોવાનું સામે આવ્યું હતું જો કે, વિડીયો મોરબી જીલ્લામાં વાયરલ થયો હતો જેથી અનેક સવાલ ઊભા થતાં હતા જેથી કરીને સરકારી એમ્બ્યુલન્સમાં મુસાફરોને બેસાડનાર ડ્રાઈવરના કહેવા મુજબ કોઈ વૃદ્ધને ચાલવામાં તકલીફ હતી જેથી તેને એમ્બ્યુલન્સમાં બેસાડવામાં આવ્યા હતા. જો કે, મોરબી ગયેલા વાંકાનેર પાછી આવી રહી હતી ત્યારનો વિડ્યો સામે આવેલ હતો જેથી કરીને વાંકાનેર સિવિલના અધિકારી દ્વારા આ બાબતે તપાસ શરૂ કરવામાં આવેલ છે અને સરકારી એમ્બ્યુલન્સ મુસાફરને બેસાડીને તેની પાસેથી રૂપિયા લેવામાં આવ્યા હોય તેવી જો કોઈ વાત સામે આવશે તો જવાબદાર વ્યક્તિ સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે તેવું જણાવ્યુ છે.






Latest News