મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​  મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું કરાશે સન્માન મોરબીમાં ચેક બાઉન્સ કેસમાં આરોપીને સજા તથા આરોપી સામે પગલા લેવા ઇન્કમટેક્ષને આદેશ યોગનો પ્રચાર પસાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા કાર્યના આજે મીઠા પરિણામો દરેક લોકોને મળી રહ્યા છે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા ગૌતમ અદાણીની માનવતા મરી પરવારી હોય મોરબીના જેતપર ગામે ખેડૂતો દ્વારા ઉપવાસી છાવણીમાં બેસણું-મોકાણનો કાર્યક્રમ યોજાયો મોરબીના આઈ.સી.ડી.એસ. વિભાગના અધિકારીઓ સામે આંગણવાડી વર્કરોમાં રોષ: 10 વર્કર-હેલ્પર સામૂહિક રાજીનામા ધરે તેવી શક્યતા
Breaking news
Morbi Today

મોરબીની પંચવટી સોસાયટીમાં પીવાનું પાણી પહોચડવા કમિશ્નરને રજૂઆત


SHARE











મોરબીની પંચવટી સોસાયટીમાં પીવાનું પાણી પહોચડવા કમિશ્નરને રજૂઆત

મોરબી મહાપાલિકા વિસ્તારમાં આવેલા પંચવટી સોસાયટીના અમુક ઘરોમાં ૨૦૧૨ થી આજ દિવસ સુધી પીવાનું પાણી મળતું નથી જેની અનેક વખત પાલિકા હતી ત્યારે રજૂઆતો કરવામાં આવી હતી જો કે, કોઈ કામ કરવામાં આવ્યું નથી ત્યારે આ વિસ્તારમાં રહેતા લોકોનો પાણીનો પ્રશ્ન તાત્કાલિક ઉકેલવામાં આવેલ તેવી માંગ કરી છે.

મોરબીમાં રહેતા ઇન્ટર નેશનલ હુમન રાઈટ અસો.ના જનરલ સેક્રેટરી કાન્તીલાલ ડી. બાવરવાએ હાલમાં મહાપાલિકાના કમિશ્નર સ્વપ્નીલ ખરેને રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીમાં આવેલ પંચવટી સોસાયટીમાં રહેતા ભીલા ચેતનકુમાર મનસુખભાઈના કહેવા મુજબ આ સીસાયટી કાયદેસરનું નગરપાલિકા હસ્તકનું પાણીનું નળ કનેક્શન ધરાવે છે. જો કે, વર્ષ ૨૦૧૨ થી આજ દિવસ સુધીમાં અવાર નવાર રજુઆતો કરેલ છે તો પણ પાણીના પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવ્યું નથી ત્યારે મહાપાલિકા દ્વારા પાણીનો પ્રશ્ન વહેલી તકે ઉકેલવામાં આવે તેવી માંગ કરી છે અને જો પ્રશ્ન ઉકેલવામાં નહીં આવે તો આગામી સમયમાં માનવ અધિકારના રક્ષણ  માટે ના છુટકે આંદોલનાત્મક કાર્યક્રમો કરવાની ચીમકી ઉચ્ચારી છે.






Latest News