મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા વાંકાનેરના અણીટીંબા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા મોરબીના મહેન્દ્રનગર નજીક ટીસીમાંથી શોર્ટ લાગતાં અજાણ્યા યુવાનનું મોત વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ
Breaking news
Morbi Today

મોરબીની પંચવટી સોસાયટીમાં પીવાનું પાણી પહોચડવા કમિશ્નરને રજૂઆત


SHARE

















મોરબીની પંચવટી સોસાયટીમાં પીવાનું પાણી પહોચડવા કમિશ્નરને રજૂઆત

મોરબી મહાપાલિકા વિસ્તારમાં આવેલા પંચવટી સોસાયટીના અમુક ઘરોમાં ૨૦૧૨ થી આજ દિવસ સુધી પીવાનું પાણી મળતું નથી જેની અનેક વખત પાલિકા હતી ત્યારે રજૂઆતો કરવામાં આવી હતી જો કે, કોઈ કામ કરવામાં આવ્યું નથી ત્યારે આ વિસ્તારમાં રહેતા લોકોનો પાણીનો પ્રશ્ન તાત્કાલિક ઉકેલવામાં આવેલ તેવી માંગ કરી છે.

મોરબીમાં રહેતા ઇન્ટર નેશનલ હુમન રાઈટ અસો.ના જનરલ સેક્રેટરી કાન્તીલાલ ડી. બાવરવાએ હાલમાં મહાપાલિકાના કમિશ્નર સ્વપ્નીલ ખરેને રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીમાં આવેલ પંચવટી સોસાયટીમાં રહેતા ભીલા ચેતનકુમાર મનસુખભાઈના કહેવા મુજબ આ સીસાયટી કાયદેસરનું નગરપાલિકા હસ્તકનું પાણીનું નળ કનેક્શન ધરાવે છે. જો કે, વર્ષ ૨૦૧૨ થી આજ દિવસ સુધીમાં અવાર નવાર રજુઆતો કરેલ છે તો પણ પાણીના પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવ્યું નથી ત્યારે મહાપાલિકા દ્વારા પાણીનો પ્રશ્ન વહેલી તકે ઉકેલવામાં આવે તેવી માંગ કરી છે અને જો પ્રશ્ન ઉકેલવામાં નહીં આવે તો આગામી સમયમાં માનવ અધિકારના રક્ષણ  માટે ના છુટકે આંદોલનાત્મક કાર્યક્રમો કરવાની ચીમકી ઉચ્ચારી છે.




Latest News