ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામના માજી સરપંચ દ્વારા ત્રીદિવસીય વિષ્ણુયાગ મહાયજ્ઞનું આયોજન


SHARE













મોરબીના રવાપર ગામના માજી સરપંચ દ્વારા ત્રીદિવસીય વિષ્ણુયાગ મહાયજ્ઞનું આયોજન

મોરબીના શાસ્ત્રીનગરમાં ઘંટીની બાજુમાં રહેતા રવાપર ગામના માજી સરપંચ દ્વારા તેઓના પત્નીના દિવ્યાત્માને વિષ્ણુલોકની પ્રાપ્તીઅર્થે ત્રીદિવસીય વિષ્ણુયાગ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબીના રવાપર ગામના માજી સરપંચ ગોપાલભાઈ કસુન્દ્રાના પત્ની સ્વ.પુષ્પાબેન ગોપાલભાઈ કાસુન્દ્રા કે જેમનું તા.૨/૯/૨૦૨૪ ના રોજ અવસાન થયું હતું તેમના દિવ્યાત્માને વિષ્ણુલોકની પ્રાપ્તીઅર્થે સ્વ.વસ્તાભાઈ ડાયાભાઈ કાસુન્દ્રા પરિવાર દ્વારા ત્રીદિવસીય વિષ્ણુયાગ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ વિષ્ણુયાગ મહાયજ્ઞ તા. ૩૧/૧/૨૦૨પ થી તા.૨/૨/૨૦૨પ સુધી તેઓના નિવાસસ્થાન શાસ્ત્રીનગર ઘંટીની બાજુમાં ચાલશે આ યજ્ઞમાં આચાર્ય સ્થાને શાસ્ત્રી રાજભાઈ વેદ વિશારદ (આંદરણાવાળા) હાજર રહીને ધાર્મિક વિધિ કરાવશે. આ યજ્ઞ દરરોજ સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩ થી ૬ સુધી ચાલશે. અને તા ૧ ને શનિવારે રાતે ૮:૩૦ કલાકે બજરંગ ધુન મંડળનો કાર્યક્રમ રાખવામા આવેલ છે. તેમજ મહાપ્રસાદ તા ૨ ને રવિવારે સાંજે ૭:૦૦ કલાકે રવાપર ગામે આવેલ રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે રાખવામા આવેલ છે. જેથી ધાર્મિક કાર્યક્રમ અને પ્રસાદનો લાભ લેવા માટે રવાપર ગામના માજી સરપંચ ગોપાલભાઈ વસ્તાભાઈ કાસુન્દ્રા, ગૌરવ ગોપાલભાઈ કાસુન્દ્રા, શ્રીમતિ ભાવિકા ગૌરવભાઈ કાસુન્દ્રા, જીવલ ગૌરવભાઈ કાસુન્દ્રાએ આમંત્રણ આપવામાં આવ્યું છે.






Latest News