મોરબીમાં વાવડી કન્યા શાળા ખાતે મેડિકલ કેમ્પ યોજ્યો મોરબીના બગથળા ગામે નકલંક મંદિરના મંહત દામજી ભગતના હસ્તે સેવા સેતુ કાર્યક્રમનો શુભારંભ મોરબીમાં તૂટી ગયેલો ઝુલતો પુલ ફરી પાછો બાંધવામાં આવે તેવી માંગ સાથે મુખ્યમંત્રીને કરાઈ રજૂઆત મોરબી સીરામીક એસો.ના આગેવાનો ધારાસભ્યની સાથે મુખ્યમંત્રી અને ઊર્જા મંત્રીને ગાંધીનગરમાં મળ્યા: સિરામિક ઉદ્યોગની સ્થિતિ વિશે કરી વિસ્તૃત ચર્ચા ઈરાન-ઇઝરાયલ યુદ્ધની અસર: મોરબીનો પોલીપેક ઉદ્યોગમાં વપરાતા પ્લાસ્ટિક દાણાના ભાવમાં પ્રતિ કિલોએ 50 ટકાથી વધુનો વધારો મોરબી જિલ્લા કક્ષાના મહિલા દિવસની ઉજવણી સાથે આજે મહિલા સંમેલન-સન્માન સમરોહ યોજાયો મોરબીમાં ભરણપોષણનો કેસ કરનાર પરણીતાના ઘરે જઈને પતિ સહિત બે વ્યક્તિઓએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી હળવદના ઇંગોરાળા મયાપુર રોડ ઉપરથી 300 બિયરના ટીન ભરેલી કાર સાથે બે શખ્સ ઝડપાયા: 2.63 લાખનો મુદ્દામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડ ઉપર કારખાનામાં નાઈટશિફ્ટ દરમિયાન યુવાનનું મોત


SHARE













મોરબીના લખધીરપુર રોડ ઉપર કારખાનામાં નાઈટશિફ્ટ દરમિયાન યુવાનનું મોત

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ લખધીરપુર રોડ ઉપર ઓકટીવા સીરામીક નામના યુનિટમાં લેબર કવાટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતા મજૂર યુવાનની નાઈટશિફટ હોય તે નાઈટશિફટમાં કામ કરતો હતો દરમિયાન તેનું મોત થયુ હતું અને હાલ તેના વાલીવારસોને શોધવા માટે તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

આ બાબતે મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે, મરણ જનાર વિક્રમસિંહ મહેન્દ્રસિંહ (ઉ.વ.આશરે ૩૪) ધંધો મજુરીકામ રહે.હાલ લખધીરપુર રોડ પર આવેલ ઓક્ટીવા સિરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમા તા.જી.મોરબી તા.૨૯-૧-૨૫ ના ૮/૩૦ વાગ્યા પહેલા કોઇપણ વખતે મોરબી તાલુકાના લખધીરપુર રોડ પર આવેલ ઓક્ટીવા સીરામીક કારખાનામાં કામ કરતા સમયે કોઇપણ કારણસર મરણ ગયેલ હોય જે મરણ જનારની લાશનું પોસ્ટ મોર્ટમ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે કરવામાં આવેલ હોય જે લાશ વિક્રમસિંહ મહેન્દ્રસિંહ (ઉ.વ.આશરે ૩૪) હોવાનું ખુલેલ હોય અને તેના ડાબા હાથમા અંગ્રેજીમા ” D..J" તથા "ફુલની આકૃતિ" ત્રોફાવેલ છે.તથા જમણા હાથમા હીન્દીમા "તાજ" ત્રોફાવેલ છે જેને શરીરે લાલ રંગનુ જેકેટ તથા રાખોડી રંગનુ ટીશર્ટ પહેરેલ છે.તથા નીચે જીન્સનુ પેન્ટ પહેરલ છે તથા મરણજનારની લાશનુ પોસ્ટમોર્ટમ કરીને સગા-વ્હાલાની ઓળખ સારૂ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે કોલ્ડ સ્ટોરેજમા રાખવામાં આવેલ છે.જે અજાણી લાશની ઓળખ અંગે કોઇને કોઇપણ જીલુભાઇ ગોગરા (મો.૯૯૭૯૦ ૧૯૫૮૩) અથવા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન (૦૨૮૨૨-૨૪૨૫૯૨) ખાતે જાણ કરવા યાદીમાં જણાવેલ છે.




Latest News