ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ત્રિદિવસીય આત્મનિર્ભર ગ્રામયાત્રાનો આજે રાજપરથી કરાયો પ્રારંભ


SHARE







મોરબી જીલ્લામાં ત્રિદિવસીય આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો આજે રાજપરથી કરાયો પ્રારંભ

સમગ્ર ગુજરાતમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તા. ૧૮મી નવેમ્બર થી ત્રિદિવસીય આત્મ નિર્ભર ગ્રામ યાત્રા શરૂ કરવામાં આવેલ છે જે અંતર્ગત મોરબી જિલ્લામાં યોજાનાર ગ્રામ યાત્રામાં બિન અનામત આયોગના ચેરમેન હંસરાજભાઇ ગજેરા ઉપસ્થિતમાં આ યાત્રા શરૂ કરવામાં આવી હતી ત્યારે સાંસદ સહિતના ભાજપના આગેવાનો હજાર રહ્યા હતા  

આ યાત્રા પહેલા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલ બેઠકમાં કાર્યક્રમના શુભારંભસમાપનવિવિધ કામોનું ખાતમૂહુર્ત – લોકાર્પણ અને યોજનાકીય લાભોનું વિતરણ અંગેની વ્યવસ્થા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. અને કલેક્ટર જે.બી. પટેલે જણાવ્યું હતું કેરાજ્ય સરકાર દ્વારા ૧૧ જેટલા જુદા જુદા વિભાગોને સાંકળીને વિવિધ વિકાસ કામોના લોકાર્પણખાતમૂહુર્ત અને વિવિઘ વિભાગના લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરવા માટે તા. ૧૮ થી ૨૦ નવેમ્બર દરમિયાન આત્મ નિર્ભર ગ્રામ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

તો જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવએ આત્મનિર્ભર ગ્રામ યાત્રાના રૂટ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કેમોરબી જિલ્લાની જિલ્લા પંચાયતની ૨૪ બેઠકો માટે બે રથની ફાળવણી કરવામાં આવી છે. જે મોરબી જિલ્લાના પાંચેય તાલુકા અને ૩૫૯ ગામોને સાંકળી લેશે. આ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ મોરબીના રાજપર મધ્યે યોજવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને બિન અનામત આયોગના ચેરમેન હંસરાજભાઇ ગજેરા ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ રથને પ્રસ્થાન કરાવ્યો હતો અને વિવિધ કામોનું લોકાર્પણખાતમૂહુર્ત અને યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું 
 
જે ગામમાંથી રથ પસાર થશે તે ગામની શાળાપંચાયત ઘરઆંગણવાડીસબ સેન્ટરવેલનેસ સેન્ટર તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સફાઇ પણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં બિન અનામત આયોગના ચેરમેન હંસરાજભાઇ ગજેરાએ ગુજરાત સરકાર દ્વારા દરેક લોકોની ખેવના કરવામાં આવી રહી છે અને દરેક લોકોને સરકારી યોજનાનો લાભ શુભ રહે તેવી વ્યવસ્થા ઉભી કરવાની હોય તેના ભાગરૂપે આત્મનિર્ભર ગ્રામ યાત્રા શરૂ કરવામાં આવી છે આ તકે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઈ વાસદડિયા, મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન જીગ્નેશભાઇ કૈલા, કારોબારી સમિતીના અધ્યક્ષ જયંતિભાઇ પડસુંબિયા, હંસાબેન પારઘી, જીગ્નેશભા કૈલા, જેઠાભાઇ પારઘી, કલેકટર જે.બી.પટેલ, ડીડીઓ પરાગ ભગદેવ સહિતના અધિકારી અને આગેવાનો હાજર રહ્યા હતા
 
 
 





Latest News