ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબીની આયુષ હોસ્પિટલમાં મગજ-મણકાના  ઓપરેશનનો  નિ:શુલ્ક કેમ્પ યોજાશે


SHARE







મોરબીની આયુષ હોસ્પિટલમાં મગજ-મણકાના  ઓપરેશનનો  નિ:શુલ્ક કેમ્પ યોજાશે

મોરબીમાં શ્રી સત્સાઈ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત આયુષ હોસ્પિટલ  દ્રારા કરવામાં આવે છે દર્દીઓ માટે વિના મુલ્ય ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જરૂરીયામંદ દર્દીઓને મા કાર્ડ અથવા આયુષ્માન કાર્ડમાં નિઃશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવશે. જે દર્દી પાસે મા કાર્ડ કે આયુષ્માન કાર્ડ ન હોય તેવા દર્દીઓને કાર્ડ કાઢી આપવામાં આવશે. 

આ નિઃશુલ્ક ઓપરેશન કેમ્પ ન્યૂરો સર્જરી  એટલે કે મગજ, મણકા અને કરોડરજ્જુના દર્દીઓ માટે છે. જેમાં ડો. મિલન મકવાણા સાહેબ (M.S., DNB, ન્યૂરોસર્જન) પોતાની સેવા આપશે આ હોસ્પિટલના સંચાલક ડો. ચેતન અઘારાના જણાવ્યા મુજબ આ કેમ્પમાં મગજની ગાંઠ, મજગની ઈજા, મગજમાં હેમરેજ, મગજમાં પાણી ભરાવુ, માથાનો  દુખાવો, લકવાની અસર તેમજ કમર અને ડોકનો દુઃખાવો, મણકાની ઇજા, મણકાની ગાંઠ, કેન્સર કે ટીબી, મણકાના ફેક્ચર, મણકાનો ઘસારો, મણકા ખસી જવા, ગાદીની તકલીફ, ગાદીમાં સોજો, નસ દબાઈ જેવી વગેરેની તકલીફ વાળા દર્દીઓ સરવારનો લાભ લઈ શકે છે અને આ કેમ્પ તારીખ ૨૧-નવેમ્બર, રવિવારે સવારે ૧૦ થી ૧ આયુષ હોસ્પિટલ જુના બસ સ્ટેન્ડ પાસે મોરબી ખાતે રાખેલ છે. અને વધુ માહિતી માટે ૭૫૭૫૦ ૮૮૮૮૮ અને ૭૫૭૫૮ ૨૨૨૨૨ ઉપર સંપર્ક કરવાનો રહેશે અને કેમ્પ માટે નામ નોંધાવવાનું રહેશે અને નામ નોંધાવવા માટે ૯૨૨૮૧ ૦૮૧૦૮ ઉપર સંપર્ક કરવા માટે ડો. ચેતન અઘારાઅનુરોધ કર્યો છે






Latest News