મોરબી મહાપાલિકાના હદ વિસ્તારમાંથી છેલ્લા મહિનાઓમાં 3,502 પશુ ડબ્બે પુરાયા મોરબીમાં રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે નિઃશુલ્ક હોમિયોપેથીક કેમ્પ યોજાયો મોરબી પાટીદાર એડવોકેટ લીગલ સેલ-જીવાપરના ખેડૂતોની ટ્રેક્ટર રેલી યોજાઇ મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલનના સમર્થનમા આવેલા કલાકાર હકાભા ગઢવીને છાવણીએ આવવાની મનાઈ ! મોરબી જિલ્લામાં જમીન દફતર ખાતાની સેવાઓનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ: નાગરિકોની સુવિધા માટે નવી ૬ કચેરીઓ કાર્યરત વિદેશ અભ્યાસ લોન બની પથદર્શક: હળવદ તાલુકાનાં મનીષ જાદવનું જર્મનીમાં ભણવાનું સપનું થયું સાકાર નમો સ્વચ્છતા અભિયાનનો મોરબી મનપાના મેયર ઉત્તમ સુરાણી અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની હાજરીમાં પ્રારંભ મોરબી જિલ્લામાં સહકાર થી સમૃદ્ધિના સંકલ્પ સાથે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું 
Breaking news
Morbi Today

મોરબીના કાન્તિલાલ બાવરવાએ ગુજરાતમાં તાત્કાલિક ગ્રામ પંચાયતોની ચુંટણીઓ યોજવા સીએમને કરી રજૂઆત


SHARE









મોરબીના કાન્તિલાલ બાવરવાએ ગુજરાતમાં તાત્કાલિક ગ્રામ પંચાયતોની ચુંટણીઓ યોજવા સીએમને કરી રજૂઆત

ગુજરાત રાજ્યમાં આશરે ૭૦૦૦ જેવી ગ્રામ પંચાયતોની ટર્મ ફેબ્રુઆરી ૨૦૨૩ થી આજદિન સુધીમાં પૂરી થઇ ગયેલ છે. અને આ દરેક ગ્રામ પંચાયતોમાં વહીવટદારનું શાસન ચાલે છે. આ વહીવટદારના શાસનના કારણે ગામડાઓનો  વિકાસ અટકી જવા પામેલ છે. ગામો લોકોને પોતાના પ્રશ્નો બાબતે યોગ્ય જવાબ મળવામાં વિલંબ થાય છે. વહીવટદાર સ્થાનિકના હોવાથી લોકો તેને આસાનીથી મળી પણ શકતા નથી. અને પ્રશ્નો રજુ કરી શકતા નથી. ઘણા ગામોમાં મનરેગા મજુરોને કામો અને પગાર મળવામાં પણ વિલંબ થાય છે. લોકોને પોતાની મળતી પ્રાથમિક સુવિધા મેળવવામાં પણ હાલાકી ભોગવવી પડી રહી છે. જેથી કરીને સ્થાનિક સ્વરાજ એટલે  કે ગ્રામ પંચાયતમાં સ્થાનિક બોડી આવે તેના માટે વહેલી તકે ચૂંટણી કરવામાં આવે તેવી મોરબીમાં રહેતા આગેવાને સીએમને રજૂઆત કરેલ છે.

મોરબીમાં રહેતા રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખ કાન્તિલાલ ડી.બાવરવાએ હાલમાં સીએમને કરેલ રજૂઆતમાં જણાવ્યુ છે કે, વહીવટદારના શાસનમાં વિકાસના કામો થવા પામેલ નથી.  એટલે  લોકો સરકાર  તરફથી મળવા પાત્ર સુવિધાઓથી વંચિત રહેલ છે. અને ખાસ કરીને એક વ્યક્તિ પાસે ઘણા બધા ચાર્જો  હોવાથી સમયના અભાવે લોકોના કામ થતાં નથી અને લોકો પોતાના નાના નાના પ્રશ્નો માટે હેરાન પરેશાન થાય છે. ગુજરાત રાજ્યમાં કુલ આશરે ૧૪,૦૦૦  કરતા વધારે ગ્રામ પંચાયતો આવેલ છે. તેમાંથી આશરે ૭૦૦૦ હજાર કરતા  વધારે  ગ્રામપંચાયતોમાં ચુટાયેલી બોડી નથી જેથી લોકોની સાથે અન્યાય થઈ રહ્યો છે અને ચુંટણી ન થવા માટેના કારણોમાં ચુંટણી પંચે રાજ્ય સરકારની નીતિને કારણે આવું થયાનું કારણ  જણાવેલ છે તેવું તેઓને જાણવા મળેલ છે.

આમાં સ્થાનિક સ્વરાજની  એક અગત્યની સંસ્થા ગ્રામ પંચાયતમાં ચુંટણી ન યોજીને ગુજરાતની ૫૦% કરતા વધારે લોકોને પોતાની સુખ સુવિધા, વિકાસ ના કામો, વ્યક્તિગત કામો અને તેને બંધારણ દ્વારા મળેલ હક્ક કે પોતાના પ્રતિનિધિ ચુંટવાના અધિકાર થી વંચિત રાખીને રાજ્ય સરકર દ્વારા આ એક ખુબ જ મોટો અન્યાય કરેલ છે. જેથી કરીને તાત્કાલિકના ધોરણે ગ્રામ પંચાયતોની ચુંટણીઓ કરાવવામાં આવે અને ભવિષ્યમાં આવી  રીતે અન્ય સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણીઓ અટકાવવામાં ના આવે. ભવિષ્ય માં આવું ના બને તેવું આગોતરું આયોજન  કરવામાં આવે તેવી માંગ કરી છે. અને જો  આ ચુંટણી યોજવામાં વિલંબ કરવામાં આવશે તો ગુજરાત પ્રદેશ રાજીવ ગાંધી પંચાયત રાજ સંગઠન આ બાબતે સમગ્ર રાજ્ય લેવલે ઉગ્ર અંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.






Latest News