હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને ફાયર સેફટીની માહિતી-માર્ગદર્શન અપાયું


SHARE







મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને ફાયર સેફટીની માહિતી-માર્ગદર્શન અપાયું

મોરબીના સનાળા રોડ ઉપર આવેલી ગીતાંજલી વિદ્યાલયમાં મોરબી મહાપાલિકાના ફાયર વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને ફાયર સેફટીનું માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ખાસ કરીને આગ લાગે ત્યારે વિદ્યાર્થીએ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેની સંપૂર્ણ માહિતી આપીને ફાયર સેફ્ટીના સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે તેની માહિતી આપવામાં આવી હતી. અને ત્યાર બાદ ફાયર સેફ્ટીના અધિકારી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના વિદ્યાર્થીઓએ જવાબ આપ્યા હતા અને સાથોસાથ વિદ્યાર્થીઓએ પણ તેને મૂંઝવતા પ્રશ્નો અધિકારીઓને પૂછીને સમાધાન મેળવ્યું હતું. આ સેમિનાર બાદ ગીતાંજલી વિદ્યાલયના સંચાલક રૂપલબેન પનારા દ્વારા ફાયર વિભાગના અધિકારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.






Latest News