ટંકારાના મીતાણા ગામે મચ્છી લેવા ગયેલા દીકરાને થપ્પડ મારીને યુવાનને ચાર શખ્સોએ હોકી-પાઇપથી માર માર્યો મોરબીના વીસીપરામાં દુકાન પાસે બેઠેલા બે યુવાન ઉપર નજીવી વાતમાં છરી વડે હુમલો: બે સામે ફરિયાદ માળીયા (મી)ના મોટાભેલા ગામનો બનાવ: કામ બાબતે ઠપકો આપતા પિતાની દીકરાએ કરી નાખી હત્યા વાંકાનેરના સમથેરવા નજીકથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો, શરીર ઉપર ઇજાના નિશાન: માળીયા (મી)ના નવાગામે વાડીએ ઝેરી દવા પી યુવાનનો આપઘાત મોરબીના જેતપર ગામે ક્રિકેટ રમતા યુવનનું હાર્ટ એટેકથી મોત મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા, ડબલ રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ મોરબીના બેલા નજીક આવેલ રિવાઇન્ડિંગની દુકાનમાંથી અંદાજે બે લાખના મુદામાલની ચોરી વાંકાનેરના વઘાસીયા ટોલનાકે બુમ બેરીયર તોડીને બોલેરોનો ચાલક વાહન લઈને નીકળી ગયો !: સ્ટાફ ઉપર કર્યો હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં પરિણીતાને મરવા મજબુર કરવાના ગુનામાં આરોપીના જામીન મંજુર


SHARE











મોરબીમાં પરિણીતાને મરવા મજબુર કરવાના ગુનામાં આરોપીના જામીન મંજુર

મોરબીના સનાળા ગામે મહિલાના પતિ સહિતના સાસરિયાઓ દ્વારા ચારિત્ર્યની શંકા કરીને મારકૂટ કરવામાં આવતી હતી જેથી કરીને પરણીતાએ ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે બનાવમાં ભાઈએ તેની બહેનને મારવા માટે મજબૂર કરી હોવાની ફરિયાદ નોંધાવેલ હતી જે ગુનામાં પોલીસે મૃતક મહિલાના પતિની ધરપકડ કરી હતી જે જેલમાં હોય તેણે પોતાના વકીલ મારફતે જામીન અરજી કરી હતી જેને કોર્ટે શરતોને આધીન મંજૂર કરેલ છે

આ કેસની મળતી માહિતી મુજબ ભરૂચના રહેવાસી કિરણભાઈ શશીકાંતભાઈ વસાવા (32)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હસમુખભાઈ વાલજીભાઈ પટેલ અને તેના ભત્રીજા જયદીપભાઇ પટેલ સામે ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, ફરિયાદીની બહેન રેખાબેન સાથે મારકૂટ કરીને ચારિત્ર્યની શંકા કરીને મરવા માટે મજબૂર કરી છે જેથી કરીને પોલીસે મહિલાને મારવા મજબૂર કરવા અને એટ્રોસિટીના ગુનામાં આરોપી પતિ હસમુખભાઈ વાલજીભાઈ સીરવીની ધરપકડ કરી હતી અને જેલ હવાલે કર્યો હતો ત્યાર બાદ તેના વકીલ મનીષભાઈ (ગોપાલ) ઓઝા મારફત મોરબીની કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી જેમાં આરોપીના વકીલ દ્વારા કરવામાં આવેલ ધારદાર દલીલો ધ્યાને લઈને કોર્ટે આરોપીના વકીલની દલીલોને માન્ય રાખી આરોપીના શરતી જામીન મંજૂર કરેલ છે.






Latest News