મોરબી જીલ્લામાં રામપર વીડી, બાબા સાહેબ આંબેડકર સ્કૂલ અને નેક્સિયન સિરામીકમાં વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાયો મોરબી જિલ્લાના સાપકડા, જેતપર અને રાસંગપર ગામે ખાનગી કંપનીના વીજપોલ સામે વળતરને લઈને ખેડૂતો અને પોલીસે આમને સામને મોરબી: આચાર્ય ભાવચંદ્રજી સ્વામી આદિ ઠાણાની ધર્મયાત્રાના સંભારણા સાથે વિદાય મોરબીના આમરણ પાસે બે ટ્રેલર વચ્ચે ભયંકર અકસ્માત મોરબી જિલ્લામાં ચાર લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ: ૩૦ જૂન સુધી હથિયારબંધી વિશ્વ પર્યાવરણ દિવસ: મોરબી જિલ્લામાં ૬૦૦ જેટલા રોપાઓનું વાવેતર અને ૧૫૦૦ રોપાનું નિઃશુલ્ક વિતરણ મોરબી RTO કચેરી દ્વારા વિવિધ વાહનોની જૂની સિરીઝના ફેન્સી નંબરો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકાશે મોરબી કલેક્ટર કોર્ટમાં વહીવટી પારદર્શિતા માટે ઓપન કોર્ટ અભિગમ અને iRCMS પોર્ટલ થકી કેસની પ્રક્રિયા બની અત્યંત ઝડપી-પ્રજાભિમુખ
Breaking news
Morbi Today

ભારે કરી, માળીયા (મી)ના સુલતાનપુર ગામે રહેતા યુવાનને વેરાવળથી ઈ-ચલણ આવ્યું !


SHARE











ભારે કરી, માળીયા (મી)ના સુલતાનપુર ગામે રહેતા યુવાનને વેરાવળથી ઈ-ચલણ આવ્યું !

માળીયા (મી)ના નાના એવા સુલતાનપુર ગામના રહેવાસી યુવાનને વેરાવળથી ઈ-ચલણ મોકલાવવામાં આવ્યું છે અને તેને બાઈક ઉપર ત્રણ વ્યક્તિઓ બેઠા છે તે પ્રકારના ફોટો સાથે ઈ-ચલણ આવ્યું છે ત્યારે સવળ એ ઊભો થાય છે કે, યુવાન ક્યારેય વેરાવળ બાઇક લઈને ગયેલ નથી તો પણ તેને ઈ-ચલણ આવતા યુવાન મૂંઝવણમાં મુકાયેલ છે

સામાન્ય રીતે એસી ઓફિસમાં બેઠા બેઠા સીસીટીવી કેમેરા ચેક કરીને ઇ-ચલણો બનાવવામાં આવતા હોય છે પરંતુ તે ઈ0ચલણો બનાવતી વખતે સ્પષ્ટપણે નંબર પ્લેટ દેખાતી ન હોવા છતાં પણ જે ઈ-ચલણો બનાવવામાં આવે છે તેના કારણે ઘણી વખત નિર્દોષ લોકોને ઈ-ચલણ મોકલવામાં આવતા હોય આવું અગાઉ અનેક વખત સામે આવ્યું છે તેવામાં મળતી માહિતી મુજબ માળિયા તાલુકાના નાના એવા સુલતાનપુર ગામે રહેતા ભાવેશભાઈ વિડજા કે જેને હાલમાં વેરાવળથી બાઈક ઉપર ત્રણ વ્યક્તિ બેસાડેલ છે તેવું ઈ-ચલણ આવ્યું છે જો કે, ભાવેશભાઈના કહેવા મુજબ તે બાઈક લઈને ક્યારેય વેરાવળ ગયેલા નથી અને તેમના બાઈકનો નંબર જે છે તે જીજે 3 એચપી 4520 છે જ્યારે ઈ-ચલણમાં જે ગાડીનો નંબર દેખાય છે તે નંબર જીજે 3 એચએફ 4520 છે તેમ છતાં પણ તેઓને હાલમાં ઈ-ચલણ મોકલાવવામાં આવ્યું છે જેથી હાલમાં પોલીસ તંત્રની બેદરકારીના કારણે ભાવેશભાઈ વિડજાનું મુઝવણ વધી ગયેલ છે.






Latest News