મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીની પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 20 થી વધુ લાભાર્થીઓના કવાર્ટર સીલ


SHARE













મોરબીની પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 20 થી વધુ લાભાર્થીઓના કવાર્ટર સીલ

મોરબીના બાયપાસ રોડે પ્રધાનમંત્રી આવાસ યોજના બનાવવામાં આવેલ છે અને લાભાર્થીઓને મકાન આપી દીધેલ છે. જો કે, મૂળ આસામીઓએ મકાન ભાડે આપેલ હોવાની માહિતી સામે આવી હતી જેથી કરીને 20 થી વધુ આવાસના મકાન ભાડે આપેલ હતા જેથી તે મકાનને સીલ કરવામાં આવેલ છે.

મોરબીના દલવાડી સર્કલ પાસે બાયપાસ નજીક પ્રધાનમંત્રી આવાસ યોજના 608 ફ્લેટ બનાવવામાં આવેલ છે અને તેનો ડ્રો કરીને લાભાર્થીઓને મકાન આપી દેવામાં આવેલ છે જો કે, મૂળ લાભાર્થીઓને બદલે ભાડૂઆત રહેતા હોવાનું સામે આવ્યું હતું જેથી અગાઉ નોટિસ આપવામાં આવેલ હતી. જો કે, ત્યાર બાદ ગુરુવારે મહાપાલિકાની ટિમ ત્યાં પહોચી હતી અને આવાસ યોજના મકાનમાં ભાડુંઆત રહેતા હતા તેવા 20 મકાન સીલ કરવામાં આવેલ છે. આ કાર્યવાહીથી બચવા માટે અમુક આસામીઓ તેનો સમાન લઈને કવાર્ટરમાં રહેવા માટે આવી ગયા હતા. જેથી તેની સામે હાલમાં કાર્યવાહી કરવામાં આવેલ નથી. તેમજ ભવિષ્યમાં તેઓ મકાન ભાડે ન આપે તેના માટે સ્થળ ઉપર પંચ રોજકામ કરીને સુચના લગાવવામાં આવેલ છે જેથી ભવિષ્યમાં ચેકિંગ કરવામાં આવે ત્યારે પણ મૂળ માલિક રહે છે કે પછી ભાડુંઆત તે ચેકિંગ માટે ગયેલ ટીમના ધ્યાને તાત્કાલિક આવી જશે.




Latest News